અંબાજી,04 જુન
(હિ. સ) બનાસકાંઠા
જિલ્લાના દાતા તાલુકામાં ટીબીના દર્દીઓનો ચોકાવનારો આંકડો સામે આવી રહ્યો છેદાંતા તાલુકો મહત્તમ આદિવાસી વિસ્તાર માનવામાં આવે છે આ તાલુકામાં
એક 186 ગામડાઓનો
સમાવેશ થાય છે આ ગામડાઓમાં આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલા એક સર્વેમાં વર્ષ 24
/ 25માં ટીબીના 478
જેટલા કેસ પોઝિટિવ મળી આવ્યા છે
એટલું જ નહીં આ પોઝિટિવ લોકોના સંપર્કમાં આવ્યા હોય તેવા 18000
જેટલા લોકો હાલ ટીબીના શંકાસ્પદ
કેસ જોવા મળી રહ્યા જેમાં 800 જેટલા લોકોન એક્સરે લઈ તપાસ કરવા માં આવી છે.
જેમાં 18 પોઝિટિવ દર્દી મળી આવ્યા છે તેને લઈને
હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા 100 દિવસનું કેમ્પિંગ ચલાવવામાં આવી રહ્યું છે, ને વિવિધ હેલ્થ વર્કરો
અંતરીયાળ વિસ્તારમાં જઈને આવા દર્દીઓની ઓળખ કરવામાં આવી રહી છે એટલું જ, ને વજન
કરવા સાથે ટીબીના રોગને લગતી દવાઓ પણ તેમને ઘેર બેઠા આપવામાં આવી રહી છે. જે રીતે
સરકાર હાલ તબક્કે ક્ષયને નિર્મલ કરવાના અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે આ
દાંતા તાલુકામાં ટીબીના દર્દીઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે અને હાલમાં
જે શંકાસ્પદ દર્દીઓ છે તેમને અંબાજી દાંતા અને માંકડી ગામે આવેલા હોસ્પિટલમાં,
એક્સરે કરાવીને તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું દાંતા તાલુકા આરોગ્ય અધિકારી
ડો કિરણ ગમાર એ જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ