ફાયબર ફ્રોડ કેસમાં, હિરલબા જાડેજાના જામીન ના મંજુર.
હિરલબા જાડેજાના જામીન ના મંજુર.
ફાયબર ફ્રોડ કેસમાં, હિરલબા જાડેજાના જામીન ના મંજુર.


પોરબંદર, 4 જૂન (હિ.સ.) પોરબંદરના ચકચારી સાઈબર ફ્રોડ કેસ મામલે બુધવારે પોરબંદર કોર્ટે હિરલબા જાડેજાના જામીન ના મંજુર કર્યા છે. ચાર દિવસ પહેલા હિરલબા વિરુદ્ધ જૂનાગઢ સાઇબર પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોરબંદરના મહિલા અગ્રણી હિરલબા જાડેજાનીમુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ખંડણી અને અપહરણના કેસમાં હિરલબા જાડેજા સહિતના સાગરીતોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ હિરલબા જાડેજા સહીત કુલ 6 શખ્સો વિરુદ્ધ પોરબંદરના સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ડિજિટલ એરેસ્ટ સહિતની એમ.ઓ.થી છેતરપિંડી આચરી પૈસા પડાવ્યા હોવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

જો કે, થોડા દિવસો પૂર્વે ખંડણી અને અપહરણના કેસમાં હિરલબાને રાહત મળી હતી. અને જામીન મંજુર થયા હતા. તો 4 જૂન બુધવારે સાઇબર ફ્રોડ કેસમાં કોર્ટે હિરલબા જાડેજાના જામીન ના મંજુર કર્યા છે. તો બીજી તરફ ચાર દિવસ પહેલા જૂનાગઢના સાઇબર પોલીસ સ્ટેશનમાં, હિરલબા સહીત અન્ય શખ્સો વિરુદ્ધ સાઇબર ફ્રોડનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 10 થી વધુ રાજ્યોમાં સાઈબર ફ્રોડની રકમો જૂનાગઢના 22 જેટલા ખાતાઓમાં જમા થતી હતી તે સંદર્ભે પોલીસે ફરિયાદ નોંધી છે. હિરલબા જાડેજા વિરુદ્ધ ત્રીજી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. સાઈબર ક્રાઈમ ફ્રોડ મામલે મોટા ખુલાસા થઈ શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande