નવી દિલ્હી, 4 જૂન (હિ.સ.) દેશની બે અગ્રણી સંસ્થાઓ, આઇઆઇટી દિલ્હી અને એઈમ્સ દિલ્હીએ બુધવારે,
હેલ્થકેરમાં એઆઇ માટે સેન્ટર ઓફ
એક્સેલન્સ (એઆઇ-સીઓઈ) સ્થાપવા માટે
સમજૂતી કરાર (એમઓયું) પર હસ્તાક્ષર
કર્યા.
આઇઆઇટી દિલ્હી ખાતે આયોજિત એક સમારોહમાં, એઈમ્સ દિલ્હીના
ડિરેક્ટર પ્રોફેસર એમ. શ્રીનિવાસ અને આઇઆઇટી દિલ્હીના
ડિરેક્ટર પ્રોફેસર રંગન બેનર્જીએ, એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. પ્રો. શ્રીનિવાસે
કહ્યું કે,” આ એમઓયું દૂરગામી સહયોગી સંશોધનની શરૂઆત છે.જેમાં દેશમાં
આરોગ્યસંભાળનો ચહેરો બદલવાની ક્ષમતા છે.” તે જ સમયે, પ્રો. રંગન બેનર્જીએ કહ્યું કે,” એઈમ્સ અને આઇઆઇટી દિલ્હી વચ્ચેની
ભાગીદારીમાં, પોસાય તેવી આરોગ્યસંભાળ માટે કૃત્રિમ બુદ્ધિમત્તાને પરિવર્તિત કરવાની
ક્ષમતા છે.”
આ કેન્દ્ર દેશમાં મુખ્ય રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોને ટેકો
આપવા માટે એઆઇ-આધારિત ઉકેલો
વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ગયા વર્ષે, બંને સંસ્થાઓને શિક્ષણ મંત્રાલય દ્વારા મેક એઆઇઇન ઇન્ડિયા, મેક એઆઇવર્ક ફોર
ઇન્ડિયા પહેલ હેઠળ ખૂબ જ સ્પર્ધાત્મક પસંદગી પ્રક્રિયા પછી 330 કરોડ રૂપિયાનું
ગ્રાન્ટ એનાયત કરવામાં આવ્યું હતું. પ્રસ્તાવિત સેન્ટર ઓફ એક્સેલન્સ ગ્રાન્ટ માટે
અમલીકરણ વાહન હશે.”
કરારના મુખ્ય મુદ્દાઓ-
એઆઇ-સીઓઈ દેશમાં
મુખ્ય રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોને ટેકો આપવા માટે એઆઇ-આધારિત ઉકેલો
વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ કેન્દ્રનો ઉદ્દેશ્ય આરોગ્યસંભાળ સેવાઓ
સુધારવા, આરોગ્યસંભાળ
પ્રદાતાઓને સશક્ત બનાવવા અને દેશના દરેક નાગરિકને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ પૂરી
પાડવા માટે અત્યાધુનિક એઆઇ ઉકેલો વિકસાવવાનો છે. એઆઇ-સીઓઈ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક અગ્રણી
સંશોધન અને સંસાધન કેન્દ્ર તરીકે સેવા આપશે અને સ્વદેશી રીતે વિકસિત એઆઇ સિસ્ટમ્સ અને
ઉકેલોનો ઉપયોગ કરીને રાષ્ટ્રીય જાહેર આરોગ્યસંભાળ પ્રણાલીમાં ક્રાંતિ લાવવાનો છે.”
હિન્દુસ્થાન સમાચાર/સુશીલ કુમાર/સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ