લખનૌ, નવી દિલ્હી,4 જૂન (હિ.સ.)
સ્થાનિક આવકવેરા વિભાગમાં હુમલો કેસમાં આરોપી સહાયક કમિશનર યોગેન્દ્રને, પશ્ચિમ
બંગાળ-સિક્કિમ પ્રદેશ મોકલવામાં આવ્યા છે. યોગેન્દ્રએ આગામી થોડા કલાકોમાં, પશ્ચિમ
બંગાળ-સિક્કિમ પ્રદેશની કચેરીમાં પોતાનો યોગદાનનો રિપોર્ટ સબમિટ કરવો પડશે.
સસ્પેન્ડ કરાયેલ સહાયક કમિશનર આગામી આદેશ સુધી ત્યાં જ રહેશે. યોગેન્દ્ર જાણ કર્યા
વિના જોડાયેલી કચેરી છોડી શકશે નહીં.
હકીકતમાં 29 મેના રોજ, લખનૌમાં આવકવેરા વિભાગની કચેરીમાં ડેપ્યુટી કમિશનર ગૌરવ
ગર્ગ અને આરોપી સહાયક કમિશનર યોગેન્દ્ર મિશ્રા વચ્ચે, ઉગ્ર બોલાચાલી થઈ હતી. આમાં
ડેપ્યુટી કમિશનર ગૌરવ ગર્ગ ઘાયલ થયા હતા. ત્યારબાદ યોગેન્દ્ર મિશ્રા વિરુદ્ધ
હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં, એફઆઈઆર નોંધવામાં આવી હતી.
આ દરમિયાન, આવકવેરા વિભાગના સહાયક કમિશનર યોગેન્દ્રએ પત્રકારો સમક્ષ
આરોપ લગાવ્યો કે,” તેમની સામે કાવતરું ગણાવીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગૌરવ
ગર્ગની પત્ની એક પોલીસ અધિકારી છે. જેના દબાણને કારણે તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી
છે. હવે આવકવેરા વિભાગ દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી પાછળ ગૌરવ ગર્ગનો હાથ છે.
તેમની છબી ખરાબ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.”
હિન્દુસ્થાન સમાચાર / શ. ચંદ્ર / સુનિલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ