ગીર સોમનાથ 4 જૂન (હિ.સ.) સરકાર દ્વારા બાગાયતી ખેતીલક્ષી અનેક યોજનાઓ કાર્યરત છે. ૨૦૨૩-૨૪ના વર્ષમાં ફળઝાડ પ્રથમ વર્ષ તથા બીજા વર્ષની સહાયનો લાભ લીધો છે, એમણે ફળઝાડ બીજું વર્ષ તથા ફળઝાડ ત્રીજા વર્ષની સહાય માટે તથા ૨૦૨૪-૨૫ના વર્ષમાં નાળિયેરી વાવેતર વિસ્તાર પ્રથમ વર્ષની સહાયનો લાભ લીધો છે એમણે નાળિયેરી વાવેતર બીજા વર્ષની સહાય માટેના જરૂરી સાધનિક કાગળો સાથે અરજી કરવાની રહેશે.
સાધનિક કાગળો જેવા કે, તાજેતરના ૭/૧૨ અને ૮-અના ઉતારાની અસલ નકલ (વાવેતર કરેલ બાગાયતી પાકની નોંધ સાથે) બેંક પાસબુક નકલ, આધારકાર્ડની નકલ, રાસાયણિક ખાતર અને દવાના જી.એસ.ટીવાળા પાક્કા બીલ તથા સેન્દ્રિય/છાણિયા ખાતરના પાક્કા વાઉચર તા: ૧૫-૦૭-૨૦૨૫ સુધી ત્રીજો માળ,વિનાયક પ્લાઝા, નાયબ બાગાયત નિયામકની કચેરીમાં જમા કરાવવા નાયબ બાગાયત નિયામકની એક યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ