૮૭- વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી - ૨૦૨૫ ચાંપરડા વૃદ્ધાશ્રમમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
જુનાગઢ, 4 જૂન (હિ.સ.) ૮૭-વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી – ૨૦૨૫ અંતર્ગત વરિષ્ઠ નાગરીકોમાં મતદાન બાબતે જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત ચાંપરડા ખાતે આવેલ વૃદ્ધાશ્રમમાં રહેતા નાગરિકો પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પ
૮૭- વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી - ૨૦૨૫ ચાંપરડા વૃદ્ધાશ્રમમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો


જુનાગઢ, 4 જૂન (હિ.સ.) ૮૭-વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી – ૨૦૨૫ અંતર્ગત વરિષ્ઠ નાગરીકોમાં મતદાન બાબતે જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત ચાંપરડા ખાતે આવેલ વૃદ્ધાશ્રમમાં રહેતા નાગરિકો પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં સહભાગિતા વધે અને વૃદ્ધોનું ૧૦૦% મતદાન થાય તે હેતુ થી વૃદ્ધાશ્રમ ખાતેના મતદારોને ચૂંટણી અંગેની વિવિધ જોગવાઈઓ તેમને મળતી સુવિધાઓ બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા.

લોકશાહીના મહાપર્વમાં પોતાના મતાધિકારનો નાગરિકો સર્વાધિક ઉપયોગ કરે અને તેઓમાં જાગૃતિ આવે એ માટે જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહયા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande