વિશ્વ પર્યાવરણ દિવસ - ૨૦૨૫ અંતર્ગત ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી વોકેથોન કાર્યક્રમ યોજાયો
ગીર સોમનાથ, 4 જૂન (હિ.સ.) જૂનાગઢ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા પર્યાવરણ સપ્તાહ ઉજવણી અંતર્ગત વોકેથોન યોજાઈ હતી. જેમાં ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી વોકેથોન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રીભૂષણ કુમાર યાદ
વિશ્વ પર્યાવરણ દિવસ - ૨૦૨૫ અંતર્ગત ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી વોકેથોન કાર્યક્રમ યોજાયો


ગીર સોમનાથ, 4 જૂન (હિ.સ.) જૂનાગઢ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા પર્યાવરણ સપ્તાહ ઉજવણી અંતર્ગત વોકેથોન યોજાઈ હતી. જેમાં ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી વોકેથોન કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રીભૂષણ કુમાર યાદવ, ટીમ મેનેજર, કોચ/ટ્રેનરો જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર કચેરીના સ્ટાફ તેમજ અન્ય પર્યાવરણ પ્રેમી નાગરિકો સહભાગી થયા હતા.એમ જિલ્લા રમત વિકાસ અધિકારી ની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande