પ્રધાનમંત્રીએ ઝાબુઆ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું, સહાયતા રાશીની જાહેરાત કરી
નવી દિલ્હી, 04 જૂન (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે, મધ્યપ્રદેશના ઝાબુઆમાં થયેલા અકસ્માતમાં લોકોના મોત પર ઊંડો શોક વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (પીએમએનઆરએફ) માંથી દરેક મૃતકના સગાસંબંધીઓને
નમો


નવી દિલ્હી, 04 જૂન (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે,

મધ્યપ્રદેશના ઝાબુઆમાં થયેલા અકસ્માતમાં લોકોના મોત પર ઊંડો શોક વ્યક્ત કર્યો.

પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (પીએમએનઆરએફ) માંથી દરેક

મૃતકના સગાસંબંધીઓને 2 લાખ રૂપિયા અને

ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની

જાહેરાત કરી છે. મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપી સ્વસ્થ થવાની પણ કામના

કરી છે.

પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) એ એક્સપર પોસ્ટ કર્યું

છે કે, મધ્યપ્રદેશના

ઝાબુઆમાં થયેલા અકસ્માતમાં લોકોના મોતથી ખૂબ જ દુઃખ થયું. જેમણે પોતાના પ્રિયજનો

ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. હું ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના

કરું છું. પ્રધાનમંત્રીએ પોસ્ટમાં વધુમાં કહ્યું, દરેક મૃતકના

સગાસંબંધીઓને પીએમએનઆરએફમાંથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં

આવશે.

ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના મેઘનગર પોલીસ

સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા સજેલી ફાટક અને થાંદલા રોડ રેલ્વે સ્ટેશન વચ્ચે, ગઈકાલે

રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં નવ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને ત્રણ લોકો

ઘાયલ થયા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો, લગ્ન સમારંભમાંથી પરત ફરી રહ્યા હતા

ત્યારે એક ઝડપી ટ્રોલીએ, ઇકો વાહનને ટક્કર મારી હતી.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande