નવી દિલ્હી, 4 જૂન (હિ.સ.) ઓપરેશન 'સિંદૂર' અને ત્યારબાદના ઘટનાક્રમ પર સંસદના વિશેષ સત્રની, વિપક્ષની
માંગ વચ્ચે, સરકારે આજે
જાહેરાત કરી કે, આગામી ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થશે અને 12 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં, કેન્દ્રીય
મંત્રીમંડળની સંસદીય બાબતો સમિતિએ ચોમાસુ સત્રની તારીખને મંજૂરી આપી. સંસદીય
બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ બુધવારે પત્રકારો સાથે વાત કરતા આ માહિતી આપી.
ઉલ્લેખનીય છે કે, ઓપરેશન 'સિંદૂર' પછી,
ગઈકાલે પણ
વિપક્ષી આઇએનડીઆઈ ગઠબંધને, વડાપ્રધાનને પત્ર લખીને આ મુદ્દા પર
સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગણીનો પુનરોચ્ચાર કર્યો હતો. આજની સરકારની જાહેરાત
સ્પષ્ટ કરે છે કે,” આ સંદર્ભમાં કોઈ ખાસ સત્ર યોજાશે નહીં.”
રિજિજુએ કહ્યું છે કે,” સંસદીય નિયમો હેઠળ, સત્ર દરમિયાન
તમામ વિષયો પર ચર્ચા શક્ય છે.”
હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ