આઈપીએલ 2025 જીત્યા બાદ, આરસીબી ના કેપ્ટન રજત પાટીદારે કહ્યું - વિરાટ કોહલી અને ચાહકો આ ટ્રોફીના સૌથી મોટા હકદાર
અમદાવાદ, નવી દિલ્હી, 4 જૂન (હિ.સ.). રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2025) ની ફાઇનલમાં પંજાબ કિંગ્સ પર 6 રનથી રોમાંચક જીત નોંધાવીને 18 વર્ષમાં પ્રથમ વખત ટાઇટલ જીત્યું. મેચ પછી, કેપ્ટન રજત પાટીદારે વિજયની ઉજવણી વચ્ચે ખુ
આઈપીએલ ટ્રોફી સાથે  કેપ્ટન રજત પાટીદાર


અમદાવાદ, નવી દિલ્હી, 4 જૂન (હિ.સ.). રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2025) ની ફાઇનલમાં પંજાબ કિંગ્સ પર 6 રનથી રોમાંચક જીત નોંધાવીને 18 વર્ષમાં પ્રથમ વખત ટાઇટલ જીત્યું. મેચ પછી, કેપ્ટન રજત પાટીદારે વિજયની ઉજવણી વચ્ચે ખુલ્લેઆમ પોતાની લાગણીઓ શેર કરી. તેમણે તેને વિરાટ કોહલી અને આરસીબી ના ચાહકો માટે ખાસ ક્ષણ ગણાવી.

મેચ પછી, રજત પાટીદારે કહ્યું, આ મારા માટે ખૂબ જ ખાસ છે અને વિરાટ કોહલી માટે પણ વધુ. આ જીત એ ચાહકોના નામે છે જે વર્ષોથી અમારી ટીમને ટેકો આપી રહ્યા છે. તેઓ જ આ ટ્રોફીના ખરા હકદાર છે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તેમને ક્યારે લાગ્યું કે ટીમ ટ્રોફી જીતી શકે છે, ત્યારે રજતે કહ્યું, મને લાગે છે કે ક્વોલિફાયર-1 પછી, અમે માનતા હતા કે અમે આ વખતે સારું પ્રદર્શન કરી શકીએ છીએ. તે સમયે, અમારી ટીમનો લય અને આત્મવિશ્વાસ જોવા યોગ્ય હતો.

આરસીબીએ પહેલી ઇનિંગમાં 190 રન બનાવ્યા હતા. આ અંગે રજતે કહ્યું, આ પીચ પર 190 રન સારો સ્કોર હતો, કારણ કે વિકેટ થોડી ધીમી હતી. બોલરોએ જે રીતે પોતાની યોજનાનો અમલ કર્યો તે પ્રશંસનીય હતો. ખાસ કરીને જ્યારે કૃણાલ પંડ્યાએ બોલિંગ કરી, ત્યારે તે ટર્નિંગ પોઇન્ટ હતો. તેનો સ્પેલ (4 ઓવર, 17 રન, 2 વિકેટ) ઉત્તમ હતો. તે હંમેશા દબાણમાં વિકેટ લે છે.

તેમણે વધુમાં કહ્યું, જ્યારે પણ હું દબાણમાં હોઉં છું, ત્યારે હું જોઉં છું કે 'કેપી' એટલે કે કૃણાલ ક્યાં છે. મને તેના પર ઘણો વિશ્વાસ છે. તેના સિવાય, સુયશ, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, હેજલવુડ - બધા બોલરોએ સમગ્ર સિઝન દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું.

વિરાટ કોહલીની 18 વર્ષની આરસીબી સફર વિશે રજતે કહ્યું, તેમની સાથે કેપ્ટનશીપ કરવાનો મારા માટે એક શાનદાર મોકો હતો. મને તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું. તે આ ખિતાબનો સૌથી વધુ હકદાર હતો. તેણે હંમેશા ટીમ, મેનેજમેન્ટ અને દરેક ખેલાડીને ટેકો આપ્યો. કોચિંગ સ્ટાફ અને સપોર્ટ સ્ટાફે જે રીતે બધા ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું તે અદ્ભુત હતું.

આઈપીએલ 2025 ની આ ઐતિહાસિક જીત સાથે, આરસીબીએ તેના ચાહકોની લાંબી રાહનો અંત લાવ્યો, અને રજત પાટીદારે તેમની કેપ્ટનશીપ હેઠળ એક નવો ઇતિહાસ રચ્યો.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande