પોરબંદર, 4 જૂન (હિ.સ.) પોરબંદરના છાયા રતનપર અલખધામ આશ્રમ ખાતે રામદેવજી મહારાજનો મંડપ મહોત્સવનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 28 મેથી શરુ થયેલા મંડપ મહોત્સવનુ કાર્યક્રમમાં હજારોની સંખ્યામ ભાવિકો જોડાયા છે. મહાપ્રસાદી સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી છે. આજે તા. 4 જૂનના રોજ વહેલી સવારે 7:15 કલાકે રામદેવજી મહારાજનો મંડપ ખડો થયો હતો. મંડપ ખડો થતાના દર્શન નિહાળવા હજારોની જનમેદની ઉમટી હતી.
જેના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. 7:15 કલાકે મંડપ ખડો થયો અને અલખધામ આશ્રમના મેદાનમાં બારે બીજના ધણીની જય રામાપીરની જયનો નાદ ગુંજી ઉઠ્યો હતો. ભાવિક ભક્તોએ દર્શનનો લાભલઈ ધન્યતા અનુભવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya