રાણાવાવ નગરપાલિકા દ્વારા ગાર્ડન ખાતે સ્વચ્છતા અભિયાન યોજયું.
સ્વચ્છતા અભિયાન યોજયું.
રાણાવાવ નગરપાલિકા દ્વારા ગાર્ડન ખાતે  સ્વચ્છતા અભિયાન યોજયું.


રાણાવાવ નગરપાલિકા દ્વારા ગાર્ડન ખાતે  સ્વચ્છતા અભિયાન યોજયું.


રાણાવાવ નગરપાલિકા દ્વારા ગાર્ડન ખાતે  સ્વચ્છતા અભિયાન યોજયું.


પોરબંદર, 4 જૂન (હિ.સ.) પોરબંદર જિલ્લા તંત્ર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ- 2025 ની ઉજવણીના ભાગરૂપે જાહેર જનતામાં પર્યાવરણ માટેની જાગૃતિ વધે અને લોકો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે તે માટે વિશેષ પગલાં લેવામાં આવ્યા છે. તે અંતર્ગત રાણાવાવ નગરપાલિકા દ્વારા રાણાવાવ મામલતદાર કચેરી પાસે નગરપાલિકા ગાર્ડન ખાતે વિશિષ્ટ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું. જેમાં પ્લાસ્ટિક સહિતના કચરાનો સંઘઠન કરવામાં આવ્યો અને સમગ્ર વિસ્તાર સ્વચ્છ કરવામાં આવ્યો હતો.રાણાવાવ નગરપાલિકા દ્વારા લોકો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે, વિસ્તારને સ્વચ્છ રાખવામાં સહયોગ આપે અને પર્યાવરણના રક્ષણમાં પોતાનું યોગદાન આપે તેવી અપીલ પણ કરવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande