પૂર્વોત્તર રાજ્યોમાં આવેલા પૂર પર, કેન્દ્ર સંપૂર્ણ સહાય પૂરી પાડશે: જ્યોતિરાદિત્ય સિંધિયા
ગુવાહાટી, નવી દિલ્હી, 4 જૂન (હિ.સ.) કેન્દ્રીય પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ (ડોનર) અને સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય એમ સિંધિયાએ ઉત્તરપૂર્વ ભારતમાં મુશળધાર વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલન પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કેન્દ
સહાય


ગુવાહાટી, નવી દિલ્હી, 4 જૂન (હિ.સ.) કેન્દ્રીય પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ (ડોનર) અને

સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય એમ સિંધિયાએ ઉત્તરપૂર્વ ભારતમાં મુશળધાર

વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલન પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કેન્દ્ર

સરકાર તરફથી અસરગ્રસ્ત રાજ્યોને તમામ શક્ય સહાયની ખાતરી આપી છે.

કેન્દ્રીય મંત્રી સિંધિયાએ આ સંદર્ભમાં સિક્કિમ અને આસામના

મુખ્યમંત્રીઓ અને મણિપુરના રાજ્યપાલ સાથે, વ્યક્તિગત રીતે વાત કરી હતી. તેમણે

પરિસ્થિતિ વિશે માહિતી લીધી અને કેન્દ્ર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી.

સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ સાથે ફોન પર વાત

કરતા સિંધિયાએ કહ્યું,

અમે આ મુશ્કેલ સમયમાં, સિક્કિમના લોકોની સાથે મજબૂત રીતે ઉભા છીએ અને તમામ

શક્ય સહાય પૂરી પાડીશું.

તે જ સમયે, તેમણે આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા શર્મા સાથે પણ

વાત કરી અને રાજ્યની પરિસ્થિતિની સમીક્ષા કરી અને રાહત અને પુનર્વસન કાર્ય માટે

કેન્દ્ર તરફથી તમામ શક્ય સહાયની ખાતરી આપી.

મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લા સાથેની વાતચીત દરમિયાન, તેમણે કેન્દ્ર

સરકારની સંપૂર્ણ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે,” અસરગ્રસ્ત લોકોને શક્ય

તેટલી બધી મદદ પૂરી પાડવામાં આવશે.”

સિંધિયાએ આ સમગ્ર ઘટના અંગે, સોશિયલ મીડિયા 'એક્સ' (અગાઉ ટ્વિટર) પર

પણ પોસ્ટ કરી અને પૂર્વોત્તરના લોકો સાથે એકતા વ્યક્ત કરી, અને તેમણે લખ્યું કે,”

કેન્દ્ર સરકાર પરિસ્થિતિનો સામનો કરવા માટે ઝડપી અને સંકલિત પ્રયાસો કરવા માટે

પ્રતિબદ્ધ છે.”

હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અરવિંદ રાય / અમરેશ

દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande