પાટણ જિલ્લામાં ખેડૂતોને, પ્રાકૃતિક ખેતી અંગે જાગૃત કરવા વિશેષ તાલીમ
પાટણ, 4 જૂન (હિ.સ.)પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના બી.આર.સી. ભવન ખાતે વોકેશનલ ટ્રેનર્સ માટે પ્રાકૃતિક કૃષિ વિષયક વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ ખેડૂત તાલીમ કેન્દ્ર પાટણ અને આત્મા કચેરી દ્વારા યોજાઈ હતી, જેમાં કુલદીપ દેસાઈએ તાલીમાર્થ
પાટણ જિલ્લામાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે જાગૃત કરવા વિશેષ તાલીમ


પાટણ, 4 જૂન (હિ.સ.)પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના બી.આર.સી. ભવન ખાતે વોકેશનલ ટ્રેનર્સ માટે પ્રાકૃતિક કૃષિ વિષયક વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ ખેડૂત તાલીમ કેન્દ્ર પાટણ અને આત્મા કચેરી દ્વારા યોજાઈ હતી, જેમાં કુલદીપ દેસાઈએ તાલીમાર્થીઓને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અને તેના ફાયદાઓ અંગે માહિતગાર કર્યા હતા. તેમણે વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો.

તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને પ્રાથમિક શાળાઓમાં કિચન ગાર્ડનિંગ સ્થાપવાની રીતો અને તેની યોગ્ય રીતે જાળવણી માટેની માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ માટે તેમની પ્રેક્ટિકલ તાલીમ પણ લેવામાં આવી હતી.

આ પ્રકારની તાલીમો દ્વારા ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ વધશે અને શાળાઓમાં કિચન ગાર્ડનિંગના માધ્યમથી પ્રાકૃતિક કૃષિને વધુ પ્રોત્સાહન મળશે. સાથે જ ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ થવાથી તેઓ આ પદ્ધતિ અપનાવવા પ્રેરિત થશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande