વડોદરામાં વર્ગ-4ના હંગામી કર્મચારીઓ કાયમીકરણની માગ સાથે હડતાળે ઉતર્યા
વડોદરા, 5 જૂન (હિ.સ.) : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વર્ગ-4ના હંગામી કર્મચારીઓએ કાયમીકરણની માંગ સાથે ઉગ્ર હડતાળ શરૂ કરી છે. 150થી વધુ હંગામી કર્મચારીઓએ સમિતિ સામે વલગાવેલી વ્હાલા-દવલાની નીતિનો આક્ષેપ કરતાં આંદોલન ઉગ્ર બનાવ્યું છે. કર્મચારીઓએ જણાવ્યુ
વડોદરામાં વર્ગ-4ના હંગામી કર્મચારીઓ કાયમીકરણની માગ સાથે હડતાળે ઉતર્યા


વડોદરા, 5 જૂન (હિ.સ.) : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વર્ગ-4ના હંગામી કર્મચારીઓએ કાયમીકરણની માંગ સાથે ઉગ્ર હડતાળ શરૂ કરી છે. 150થી વધુ હંગામી કર્મચારીઓએ સમિતિ સામે વલગાવેલી વ્હાલા-દવલાની નીતિનો આક્ષેપ કરતાં આંદોલન ઉગ્ર બનાવ્યું છે.

કર્મચારીઓએ જણાવ્યું કે માત્ર ઓળખાણ ધરાવતા ચાર કર્મચારીઓને કાયમી કરાયા છે જ્યારે બીજાઓની અછત છતાં તેમને અવગણવામાં આવ્યા છે. તેઓનો આરોપ છે કે કાર્યસ્થળ પર ભેદભાવની નીતિ અપનાવવામાં આવી રહી છે.

હડતાળના ભાગરૂપે સમિતિ કચેરી બહાર સૂત્રોચ્ચાર અને બેનર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ આંદોલન પૂણરૂપે શાંતિપૂર્ણ હોવાનું કર્મચારીઓએ સ્પષ્ટ કર્યું અને કહ્યું કે, આંદોલન અને એકતા – આ અમારાં શસ્ત્ર છે.

શાસનાધિકારી ડો. વિપુલ ભરતિયાએ સ્પષ્ટતા કરી હતી કે મામલો હાલમાં સબ-જ્યુડિશિયલ છે અને કાયદાકીય સુનાવણી બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

હડતાળ પછાત કર્મચારીઓએ આશા વ્યક્ત કરી છે કે ન્યાયલક્ષી નિર્ણયથી વર્ષોથી પડતર રહેતી તેમની માગણીઓ સાંભળી લેવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande