દાહોદ, 5 જૂન (હિ.સ.)
દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા ₹૪૪.૫ કરોડના ખર્ચે તૈયાર રોડ ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું દાહોદ વાસવાડા રેલવે લાઈન તેમજ રાજધાની ના સ્ટોપજ માટે કરી રજુઆત
દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા દાહોદ યાર્ડમાં લેવલ ક્રોસિંગ નંબર ૪૪ ની જગ્યાએ કરોડો રૂપિયાના ખર્ચે નવા બનેલા રોડ ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ બ્રિજની લંબાઈ 707 મીટર અને પહોળાઈ 12.30 મીટર છે અને તે ₹ ૪૪.૫ કરોડ ની લાગત થી તૈયાર કરવામાં આવેલ છે
આ બ્રિજ દાહોદ રેલવે વર્કશોપ ને દાહોદ વન ચેતના કેન્દ્ર ને જોડતો રસ્તો છે આ રસ્તાનો મુખ્ય હેતુ દાહોદમાં તૈયાર થનાર એર સ્ટ્રીપ થી અથવા હેલિપેડ થી કોઈ ફોરેન ડેલિગેશન દાહોદ લોકો વાર્કશોપ ની મુલાકાતે આવે તો તેમને રેલવે ફાટક ના નડે અને સમય બચી જાય આ રોડ ઓવર બ્રિજની સાથે દાહોદ જિલ્લો ફાટક રહિત જિલ્લો બન્યો છે
આ પ્રસંગે દાહોદના વર્કશોપના CWM, DRM રતલામ, રેલવે કર્મચારીઓ, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ બી. કિશોરી તેમજ મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
---------------
હિન્દુસ્થાન સમાચાર / Nehal Shah