ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજજરે લાજપોર જેલ તેમજ કતારગામ અને રાંદેરના બાળસંરક્ષણગૃહની મુલાકાત લીધી
સુરત, 5 જૂન (હિ.સ.)- ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજજર અને આયોગના સચિવ ડી.ડી.કાપડીયાએ સુરતની લાજપોર મધ્યસ્થ જેલ તેમજ રાંદેરના રામનગર સ્થિત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની સ્વાયત્ત સંસ્થા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ તેમજ
Surat


સુરત, 5 જૂન (હિ.સ.)- ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજજર અને આયોગના સચિવ ડી.ડી.કાપડીયાએ સુરતની લાજપોર મધ્યસ્થ જેલ તેમજ રાંદેરના રામનગર સ્થિત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની સ્વાયત્ત સંસ્થા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ તેમજ કતારગામના બાળાશ્રમ સ્થિત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝની મુલાકાત લીધી હતી. જેલમાં તેમણે મહિલા કેદીઓ તેમજ તેમની સાથે રહેતા નાનાં બાળકો સાથે મુલાકાત કરી તેમની સાથે આત્મીય સંવાદ કર્યો હતો. બાળ સંભાળ ગૃહોના તમામ બાળકો સાથે રૂબરૂ ચર્ચા કરી બાળકોના ભોજન, રહેઠાણ, સ્વાસ્થ્ય, શિક્ષણ અને સારસંભાળ બાબતોની સુવિધાઓનું નિરીક્ષણ તેમજ બાળકોની દૈનિક પ્રવૃતિઓથી વાકેફ થયા હતા.

આયોગના પ્રતિનિધિઓએ જેલમાં બાળકોને ચોકલેટ વહેંચી પ્રોત્સાહિત કર્યા હતા તેમજ જેલતંત્ર દ્વારા બાળકો, મહિલા કેદીઓ માટે ઉપલબ્ધ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત, મહિલા કેદીઓને મેડિટેશન અને આત્મમંથન દ્વારા સકારાત્મક જીવન જીવવાની પ્રેરણા આપવામાં આવી હતી. જેલ તંત્ર દ્વારા કેદીઓના મનોબળ વધારવા અને પુન:સ્થાપનની પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કરાયો હતો. લાજપોર જેલ અધિક્ષક જે.એન. દેસાઇએ જેલમાં બંદીવાનો માટેની સુવિધાઓ અને જેલમાં ચાલતી સુધારાત્મક પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી આપી હતી.

આ વેળાએ ધર્મિષ્ઠાબેન ગજજરે જણાવ્યું હતું કે, લાજપોર જેલમાં કેદીઓના પુન:સ્થાપન અને માનસિક સુધારણા માટેના પ્રયાસો સરાહનીય છે. અહીં સ્માર્ટ ક્લાસરૂમ, લાઇબ્રેરી, કૌશલ્ય વિકાસ વર્કશોપ, આરોગ્ય સેવા કેન્દ્ર, ઈ-મુલાકાત અને વીડિયો કોલિંગ વ્યવસ્થા, CCTV દ્વારા સર્વેલન્સ અને સુરક્ષા, શૈક્ષણિક અભ્યાસક્રમો, એલોપેથિક હોસ્પિટલ, યોગ અને ધ્યાન શિબિરો તથા રેડિયો રૂમ જેવી વિશિષ્ટ વ્યવસ્થાઓનો સમાવેશ થાય છે, જેનાથી કેદીઓમાં શિસ્ત, શિક્ષણ અને નવી દિશામાં જીવન જીવવાનો ઉમંગ વિકસે છે.

ચિલ્ડ્રન હોમના અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી બાળઅધિકારો અને રક્ષણના કાયદા, બાળકોને શ્રેષ્ઠ જીવનધોરણ અને પારિવારિક માહોલ મળી રહે તે માટે અધિકારીઓને સૂચનો કર્યા હતા. આયોગના અધ્યક્ષના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનાર બાળકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.

અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે બાળકોને સ્વસ્થ, સુરક્ષિત અને તંદુરસ્ત વાતાવરણ મળે તેવા સૌએ સહિયારા પ્રયાસ કરવા અનુરોધ કર્યો હતો. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કતારગામ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના કેમ્પસ તેમજ જેલપરિસરમાં મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande