સુરત નવી સિવિલમાં ફરી બેદરકારી: વૃદ્ધ દર્દીને 9 કલાક બાદ મળતી સારવાર, તબીબો સામે કાર્યવાહી
સુરત, 5 જૂન (હિ.સ.) : નવી સિવિલ હોસ્પિટલમાં વધુ એક ઘોર બેદરકારીનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં 65 વર્ષીય વૃદ્ધ દર્દી કિશોરભાઈ સોમાભાઈ રાઠોડને સારવાર માટે લાવ્યા બાદ 9 કલાક સુધી સારવાર વિના છોડવામાં આવ્યા હતા. દર્દીને સારવાર નહીં આપવાને કારણે હાલ ત
Surat


સુરત, 5 જૂન (હિ.સ.) : નવી સિવિલ હોસ્પિટલમાં વધુ એક ઘોર બેદરકારીનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં 65 વર્ષીય વૃદ્ધ દર્દી કિશોરભાઈ સોમાભાઈ રાઠોડને સારવાર માટે લાવ્યા બાદ 9 કલાક સુધી સારવાર વિના છોડવામાં આવ્યા હતા. દર્દીને સારવાર નહીં આપવાને કારણે હાલ તેમની સ્થિતિ ગંભીર છે અને તેઓ વેન્ટિલેટર પર છે.

બુધવારે વહેલી સવારે ચોથા વર્ગના કર્મી દ્વારા અજાણ્યા વૃદ્ધ દર્દીને ટ્રોમા સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા. CMOએ RMOને દર્દીને તાત્કાલિક દાખલ કરવાની સૂચના આપી હતી, પરંતુ રેસિડેન્ટ તબીબોએ દાખલ કરવા ઇનકાર કર્યો હતો. તેઓ એકબીજાની જવાબદારી ફટકારીને દર્દીને અલગ અલગ વિભાગમાં ધક્કા ખવડાવતા રહ્યા. દર્દીને ઓર્થો અને સર્જરીમાં ફેરવવામાં આવ્યા, પણ નિયમિત દાખલ કરવામાં આવ્યો નહીં.

સવારે 9 વાગે દર્દી પીએમ રૂમ પાસે રઝળતો મળી આવ્યો હતો. પરિવારજનો સવારે પણ તેમને શોધી રહ્યાં હતા અને આખરે દુઃખદ વિલંબ પછી સાંજે મળ્યા હતા. હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓને જાણ થતાં જ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.

દર્દીના સગા સુધીરભાઈએ જણાવ્યું કે રેસિડેન્ટ તબીબોએ ઉદ્ધતાઈપૂર્ણ અને અલ્પજ્ઞતાપૂર્વક વર્તન કર્યું હતું અને તેઓ સિનિયર તબીબોના આદેશોનું પણ પાલન કરતા નહોતા. છેલ્લા ઘણા સમયથી નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબોના વર્તન અને બેદરકારીને લઈને અનેક ફરિયાદો મળી રહી છે.

હવે તંત્રએ રેસિડેન્ટ તબીબો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કર્યાની માહિતી મળી રહી છે. દર્દી હાલ પણ ગંભીર સ્થિતિમાં છે અને સારવાર માટે લડી રહ્યાં છે .

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande