ગીર ગઢડા ગામમાં સિંહણે રહેણાંકીય વિસ્તારમાં વાછરડાનું મારણ કર્યું
ગીર સોમનાથ 5 જૂન (હિ.સ.) ગીર ગઢડા ગામમાં સિંહણે રહેણાંકીય વિસ્તારમાં વાછરડાનું મારણ કરી મિજબાની માણી હતી. જંગલ બોર્ડરને અડીને આવેલ ગીર ગઢડા ગામમાં સિંહણે મોડી રાત્રે પશુનું મારણ કર્યું હતું. રાત્રીના 2 વાગ્યા આસપાસ શિકારની શોધમાં 3 સિંહ-સિંહણો ગીર ગઢ
સિંહણે રહેણાંકીય વિસ્તારમાં વાછરડાનું મારણ


ગીર સોમનાથ 5 જૂન (હિ.સ.) ગીર ગઢડા ગામમાં સિંહણે રહેણાંકીય વિસ્તારમાં વાછરડાનું મારણ કરી મિજબાની માણી હતી. જંગલ બોર્ડરને અડીને આવેલ ગીર ગઢડા ગામમાં સિંહણે મોડી રાત્રે પશુનું મારણ કર્યું હતું. રાત્રીના 2 વાગ્યા આસપાસ શિકારની શોધમાં 3 સિંહ-સિંહણો ગીર ગઢડા ગામની બજારોમાં આવી ગયેલ હતા. ગીર ગઢડાના હુશૈની ચોકમા મોડી રાત્રે ત્રણ સિંહો આવી ચડ્યા હતા, જેમાં થી એક સિંહણ દ્રારા હુશેનીચોકમાં એક વાછરડાનું મારણ કરી મિજબાની માણી હતી.

ગીર ગઢડા શહેરમાં અનેક વખત વન્ય પ્રાણી સિંહ, દીપડા જેવા વન્ય પ્રાણીઓ રહેણાંકીય વિસ્તારોમાં આવી ચડે છે ત્યારે ગ્રામજનોની લોકોની માંગ છે કે વનવિભાગ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે...

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande