ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પાંડેસરા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 અને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ યોગ શિબિર યોજાઇ
સુરત, 5 જૂન (હિ.સ.)-ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પાંડેસરા વિસ્તાર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 તેમજ મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ યોગ શિબિર યોજાઇ હતી. જેમાં 150થી વધારે GSYB ટ્રેનેરો અને સાધકોએ ભાગ લઈ દૈનિક જીવનમાં યોગનું મહત્વ સમજાવ્યું હત
Surat


સુરત, 5 જૂન (હિ.સ.)-ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પાંડેસરા વિસ્તાર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 તેમજ મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ યોગ શિબિર યોજાઇ હતી. જેમાં 150થી વધારે GSYB ટ્રેનેરો અને સાધકોએ ભાગ લઈ દૈનિક જીવનમાં યોગનું મહત્વ સમજાવ્યું હતું. સાથે જ બેઠાડું જીવન, કસરતનો અભાવ અને સતત તનાવને કારણે વધી રહેલી શારીરિક અને માનસિક બીમારીઓ વિષે જાણકારી આપી લોકોને યોગ દ્વારા હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસ મેળવવા સમજણ આપી હતી.

આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટર ડૉ.પારૂલ પટેલ, ભૂતપૂર્વ કો-ઓર્ડીનેટરશ્રી સુરેશ ચૌહાણ, કોચઓ પાંડવભાઇ,વિનોદભાઈ, ભાસ્કરભાઈ, સીતારામ ભાઈ, શિવ પ્રતાપ ભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande