જૂનાગઢ 5 જૂન (હિ.સ.) જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નીલેશ જાજડીયા ની તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા નાઓએ જુનાગઢ શહેરમાં નવાબના સમયથી રોડ રસ્તા હોય અને હાલમા તેના કરતા વાહનમાં ઘણો બધો વધારો થયેલ હોય જેથી જુનાગઢની જનતાને ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરવાડી.વાય.એસ.પી. હિતેષ ધાંધલ્યા સાહેબ, જુનાગઢ શહેર નાઓની સુચના મુજબ શહેર ટ્રાફિક શાખાના પી.આઇ. બી.બી.કોળી નાઓએ શહેરના એમ.જી રોડ,ચિતાખાના,ગાંધીચોક.એસ.ટી.બસ સ્ટેન્ડ,ત્રીમુર્તી રોડ,તળાવ રોડ આઝાદચોક,કાળવાચોક જેવા વિસ્તારના વાહન ચાલકો દ્વારા આડેધડ પાર્કિંગ કરી, અન્ય ટ્રાફિક નિયમનનુ પાલન કરનાર વાહન ચાલકોને અડચણ કરતા વાહન ચાલક વિરૂધ્ધ જેમા મો.સા,રીક્ષાઓ, ફોર વ્હિલરનાઓને લોક મારી તેમજ રીક્ષા ચાલકો ગમે ત્યા પેસેન્જરને બેસાડવા ઉતારવા વાહ્નો પાર્ક કરતા આશરે રપ જેટલા રીક્ષાઓને દંડની કાર્યવાહી કરવામાં આવેલ છે.
નરીક્ષા ચાલકોની ટ્રાફિક ઓફિસ ખાતે એક મીટીંગ રાખી તેઓને ટ્રાફિક નિયમનની જરૂરી સમજ કરવામાં આવેલ છે. તેમજ એક ઇકો એમ્બ્યુલન્સના ચાલક જેના રજી નં.GJ-04-E-2522 ની આર.ટી.ઓ.માં કોઇ પ્રકારનું રજીસ્ટ્રેશન કે મંજુરી લિધા વગર સદરૂ ઇકો વાહન ગે.કા એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગ કરતો હોવાનું હકીકત આધારે મળી આવતા સદરૂ વાહન એમ.વી.એક્ટ ૨૦૭ મુજબ ડીટેઇન કરવામાં આવેલ છે.તેમજ આ ઇકો એમ્બ્યુલન્સનું રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરવા માટે આર.ટી.ઓ અધિકારી જુનાગઢનાઓને લેખીતમાં જાણ કરેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ