જૂનાગઢ વિશ્વ પર્યાવરણ દિન ૨૦૨૫- વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદુષણનો અંત
જૂનાગઢ 5 જૂન (હિ.સ.), પર્યાવરણ માટે ખતરારૂપ પ્લાસ્ટિક આજે આપણા જીવનનો એક ભાગ બની ગયો છે, ત્યારે પ્લાસ્ટિકનો વપરાશ નહીવત થાય અને લોકોમાં જનજાગૃતિ આવે એ માટે આ વર્ષે પર્યાવરણ દિનની ઉજવણી વૈશ્વિક સ્તરે પ્લાસ્ટીક પ્રદૂષણનો અંત થીમ સાથે કરવામાં આવી રહી
પ્લાસ્ટીક પ્રદૂષણનો અંત થીમ સાથે


જૂનાગઢ 5 જૂન (હિ.સ.), પર્યાવરણ માટે ખતરારૂપ પ્લાસ્ટિક આજે આપણા જીવનનો એક ભાગ બની ગયો છે, ત્યારે પ્લાસ્ટિકનો વપરાશ નહીવત થાય અને લોકોમાં જનજાગૃતિ આવે એ માટે આ વર્ષે પર્યાવરણ દિનની ઉજવણી વૈશ્વિક સ્તરે પ્લાસ્ટીક પ્રદૂષણનો અંત થીમ સાથે કરવામાં આવી રહી છે.

આજ રોજ ગિરનાર રોપ વે પરીસરમાં જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ કહ્યું કે, આજે પર્યાવરણ પ્રદૂષણના લીધે આપણે સૌ કોઈ ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યા છીએ. સમગ્ર ઋતુચક્ર બદલાઈ ગયું છે. એપ્રિલ મહિનામાં વરસાદ ,વાવાઝોડાનો સામનો આપણે કરી રહ્યા છીએ. ઉપરાંત માનવ વસ્તી વધી છે તેમ ઉપભોગની વસ્તુ પણ વધી રહી છે. ત્યારે પૃથ્વીને બચાવવાની અને પ્રદૂષણ મુક્ત કરવાની જવાબદારી આપણા સૌની છે. આ વખતની પર્યાવરણ દિનની થીમ પ્લાસ્ટિક પ્રદુષણને હરાવવાની છે. ત્યારે આપણે સૌ કોઈ આ અભિયાનમાં જોડાઈ અને પ્લાસ્ટિકનો સાવ નહિવત ઉપયોગ આપણા જીવનમાં કરીએ એ જરૂરી છે.

કલેકટરએ વધુમાં જણાવ્યું કે, ગત વર્ષથી ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો છે. ત્યારે તેના સારા પરિણામો આપણે જોવા મળી રહ્યા છે. પ્લાસ્ટિક પ્રતિબંધિત ભવનાથ વિસ્તાર, રસ્તાઓ સ્વચ્છ થયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એક અંદાજ મુજબ પ્રતિ વ્યક્તિ દર વર્ષે ૨૪ કિલોગ્રામ પ્લાસ્ટિકનું પ્રદૂષણ ફેલાવે છે. ત્યારે આપણે રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ સાવ નહિવત કરીએ, જીવન જરૂરી વસ્તુઓ સામાન ખરીદવા માટે શણ, કાપડની થેલી વાપરીએ, પ્લાસ્ટિક થેલીઓના વિકલ્પ તરીકે બાયોડીગ્રેબલ મટીરીયલથી બનતી થેલીનો ઉપયોગ કરીએ અને પર્યાવરણનું જતન અને સંવર્ધન કરીએ. તેમણે આપણા અને આવનારી પેઢીના બહેતર ભવિષ્ય માટે પર્યાવરણનું જતન અનિવાર્ય છે. અંતમાં તેમણે રોજબરોજ પ્લાસ્ટિકનો નહીવત ઉપયોગ કરવા માટે અનુરોધ કર્યો હતો.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી જૂનાગઢ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા સૌ કોઈએ પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કલેક્ટના હસ્તે પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ બાદ જટાશંકર ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, વન વિભાગ, રોપવેના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ખાસ ક્લીનીંગ ડ્રાઇવ યોજાઈ હતી. આ તકે લોકોને શણની થેલીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના પ્રારંભે એસ. બી. પરમારે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.

આ પ્રસંગે રોપવે મેનેજર કુલબીરસિંઘ બેદી, આરએફઓ અરવિંદ ભાલીયા સહિતના અધિકારીઓ કર્મચારીઓ અને લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande