વિશ્વ પર્યાવરણ દિવસે પાટણમાં પ્રજાપતિ સમાજ દ્વારા વૃક્ષારોપણ
પાટણ, 5 જૂન (હિ.સ.) : 5 જૂન, ગુરુવારે પાટણ શહેરમાં વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ શ્રી પદ્મનાભજીની વાડી પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના આગેવાનો, મંદિરના ટ્રસ્ટીગણ અને અન્ય
વિશ્વ પર્યાવરણ દિવસે પાટણમાં પ્રજાપતિ સમાજ દ્વારા વૃક્ષારોપણ


પાટણ, 5 જૂન (હિ.સ.) : 5 જૂન, ગુરુવારે પાટણ શહેરમાં વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ શ્રી પદ્મનાભજીની વાડી પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના આગેવાનો, મંદિરના ટ્રસ્ટીગણ અને અન્ય સેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

વૃક્ષારોપણ દરમિયાન વાડી પરિસરમાં વિવિધ પ્રકારના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. સાથે જ તમામ ઉપસ્થિતોએ વૃક્ષોના જતન માટે સંકલ્પ કર્યો હતો કે તેઓ આ વૃક્ષોની નિયમિત રીતે સંભાળ લેશે અને પર્યાવરણની સુરક્ષા માટે પ્રતિબદ્ધ રહેશે.

આ સદકાર્યમાં શાંતિભાઈ સ્વામી, કમલેશભાઈ સ્વામી, યશપાલ સ્વામી, મણીભાઈ સ્વામી, વિજયભાઈ સ્વામી, રાજેશભાઈ (ખન્નાભાઈ) સ્વામી, મહેશભાઈ સ્વામી, મનુભાઈ સ્વામી અને અરજણભાઈ સહિતના સેવકોએ ખાસ ભાગ લીધો હતો.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande