'એક પેડ મા કે નામ' અંતર્ગત મંત્રી ઋષિકેશભાઈના હસ્તે તેમના માતા સ્વ.કમળાબાના સ્મરણાર્થે વૃક્ષારોપણ કરવામાં આવ્યું
ગાંધીનગર, 5 જૂન (હિ.સ.) : વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે શ્રી મુક્તજીવન ફોરેસ્ટ પાર્ક કલોલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ''એક પેડ મા કે નામ'' અંતર્ગત મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્
મંત્રી ઋષિકેશ પટેલે વૃક્ષારોપણ કર્યું


મંત્રી ઋષિકેશ પટેલે વૃક્ષારોપણ કર્યું


મંત્રી ઋષિકેશ પટેલે વૃક્ષારોપણ કર્યું


ગાંધીનગર, 5 જૂન (હિ.સ.) : વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે શ્રી મુક્તજીવન ફોરેસ્ટ પાર્ક કલોલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી.

આ પ્રસંગે 'એક પેડ મા કે નામ' અંતર્ગત મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે તેમના માતૃશ્રી સ્વ. કમળાબાના સ્મરણાર્થે બદામ‌ અને બોરસલીનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

ગ્રીન એમ્બેસેડર જીતુભાઈના જીવન પર આધારિત માહિતી થકી સમાજમાં ઉજાસ પાથરતા 'પ્રેરણા પ્રકૃતિ -3' તથા પર્યાવરણ પ્રેરણા -3 પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું અને પ્રકૃતિના રક્ષણ માટે ઉત્તમ કામગીરી કરનાર શિક્ષકોને પુરસ્કાર આપવામાં આવ્યા હતાં.

સુંદર મજાના પર્યાવરણીય વાતાવરણમાં કુદરતના ખોળે યોજાયેલા આ કાર્યક્રમને અદભુત ગણાવતાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ઘણા બધા પર્યાવરણના કાર્યક્રમો હોલમાં થતા હોય છે. આજનો કાર્યક્રમ પ્રકૃતિના રમણીય વાતાવરણમાં યોજવા બદલ તેમણે આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, અહીંયા કાર્યક્રમ સ્થળે આવ્યા પછી એવું લાગે છે ખૂબ સુંદર પર્યાવરણ અને વાતાવરણમાં પર્યાવરણ દિવસની ઉજવણીનો આ કાર્યક્રમ છે, એમાં પણ આજે સામે બેઠેલા જે પણ કોઈ પર્યાવરણ પ્રેમીઓ આવ્યા છે તેઓ પોતાની ઈચ્છાથી આવ્યા છે, એટલે એ નક્કી છે કે અહીં આવેલ તમામ લોકો પ્રકૃતિ પ્રેમીતો છે જ.

આ પ્રાસંગિક મંત્રીએ ઉમેર્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદી રાજકીય માણસ ભલે હતા, પરંતુ સમાજ જીવનની ચિંતા કરી રોડ રસ્તા પૂરતું કામ કરવા માટેની જ સરકાર નહીં, પણ સરકાર કેવી હોય તે સમજાવતા. સમાજની વચ્ચે જઈ તેમ્ણે કામગીરી કરી છે‌.સમાજમાં કોઈપણ લાલ લીટી ખેંચાઈ હોય, રેડ સિગ્નલ દેખાતું હોય તો સમાજ વચ્ચે જઈ તેમણે સમાજને જોડવાનું કામ કર્યું છે.એક સમય એવો હતો જ્યારે દીકરીઓની સંખ્યા સમાજમાં ઘટતી જતી હતી, ત્યારે દીકરીઓ બચાવવાની મુહિમ,દીકરીઓને ભણાવવાની મુહિમ પણ તેમણે ચલાવી હતી.

1972માં પર્યાવરણ દિવસની ઉજવણી કરવાનો નિશ્ચિત થયો, તે વખતે જે પશ્ચિમના દેશો છે, તે પ્રકૃતિનું દોહન કરી રહ્યા હતા.એના પછી એમને ભાન થયું કે, હવે પછીના સમયમાં પ્રકૃતિનું ધ્યાન નહીં રાખીએ તો આપણા અસ્તિત્વનો આટલો બધો વિકાસ અને આટલી બધી સુખ સાહ્યબી કોઈ કામની નથી. જેના કારણે જે મનોમંથન થયું અને પછી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નક્કી થયું કે, દુનિયામાં પર્યાવરણની જાગૃતિ લાવવી પડશે. પર્યાવરણ એટલે સહઅસ્તિત્વનો સિદ્ધાંત. દુનિયાએ સહઅસ્તિત્વનો સિદ્ધાંત સ્વીકારવો જ પડશે. વૃક્ષો તો આપણે ચોક્કસ વાવીએ, પરંતુ દરિયાની ચિંતા નહીં કરીએ, નદીની ચિંતા નહીં કરીએ, જમીનની ચિંતા નહીં કરીએ તો નહીં ચાલે. કાર્બન ઉત્સર્જન અને કાર્બન સંયોજિત ઉત્સર્જન થયા પછી તે આપણા પર્યાવરણના પડોને અસર કરે છે. આ કારણોસર ચામડીના કેન્સર જેવા રોગોનો અમુક દેશોમાં ખૂબ વધારે પ્રમાણમાં વ્યાપ થયો છે.

વર્તમાન સમયની વાત કરતાં તેમણે ઉમેર્યું હતું કે, એક સાથે લગભગ 8 થી 10 જેટલા દેશો એવાં છે કે, જે યુદ્ધમાં સપડાયાં છે. જે પ્રમાણેના યુદ્ધો થઈ રહ્યા છે, તે પર્યાવરણ અને માનવજાત માટે ખતરો છે. જે તે વખતે આખી દુનિયા પર્યાવરણના પ્રશ્નોની ચિંતા કરતી હતી, ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણના પ્રશ્નોનો હલ બતાવવાનું કામ કર્યું છે.

આ પર્યાવરણ વિષય અંતર્ગત વર્ષોથી વન દિવસ ઉજવવાનું નક્કી થયું હતું, પરંતુ તેમાં પ્રાણ પૂરવાનું કામ કર્યું હોય તો તે નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. આ કોઈ પોલિટિકલ ફંક્શન નથી. કોઈને અહીંથી રાજકીય સંદેશો પણ નથી આપવાનો, પરંતુ જેમણે સારું કામ કર્યું હોય તેમને એવોર્ડ આપવાની વાત થઈ છે ત્યારે આ એવોર્ડ આપવું એટલા માટે જરૂરી છે કે તે કાર્ય કરવા માટે પ્રેરકબળ બની રહે છે. અહીંયાથી કેટલાય પ્રકૃતિ મિત્રોના દિલમાં પડ્યું હશે, અને ઘરની સમાજ માટે કોઈ સારું કામ કરતા હોય ત્યારે કોઈ નોંધ લે, કોઈ ખભો થાબડે તેનાથી ઉત્સાહ વધતો હોય છે. પર્યાવરણની સાથે પ્લાસ્ટિક મુક્તિનાં કાર્યો છે, પાણી બચાવવાનો વિષય છે, જમીન બચાવવાનો વિષય છે અને પશુ પક્ષીઓનો બચાવ પણ જરૂરી છે. અત્યારના સમયમાં પહેલા ઘરની અંદર માળા કરીને રહેતી‌ ચકલીઓ દેખાતી નથી.‌

તેમણે પ્રકૃતિ વિનાશ અટકાવવાની વાત કરતાં ઉમેર્યું હતું કે, એટલાન્ટિક મહાસાગરમાં ભારતથી અડધા જેટલા ક્ષેત્રફળમાં માત્ર પ્લાસ્ટિકનો દરિયો ભરેલો છે, ત્યારે શું થાય જળચરોનું !પર્યાવરણ બચાવની સાથે, વૃક્ષારોપણની સાથે પ્લાસ્ટિક સંયોજનના જે પણ ઉત્પાદનો છે તે આપણે ઘટાડવા પડશે અને એમાં પણ એક જ વખત વાપરી શકાય એવું સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપયોગસ સદંતર બંધ કરવો પડશે.જો આપણે વપરાશ બંધ કરીશું તો પ્રોડક્શન ઓટોમેટિક બંધ થશે.

આપણી આવનારી તથા આજની પેઢીને પણ બચાવવી છે અને આ પેઢીના બચાવ માટે નરેન્દ્રભાઈએ નવસૂત્રો આપ્યાં છે.આપણા જૈન ધર્મના 24 તીર્થંકરોએ જે 24 વૃક્ષો નીચે બેસી જ્ઞાન આપ્યું હતું, તેમાંથી અત્યારે 16 પ્રકારનાં વૃક્ષો જ પૃથ્વી પર અસ્તિત્વમાં છે.આ વૃક્ષો આયુર્વેદ માટે મહત્વનાં હતાં. આજે આપણા ત્યાં લુપ્ત થતી પ્રજાતિઓ, લુપ્ત થતી પ્રાણીઓની જાતો અને આ મધમાખીઓ ,પતંગિયા ખૂબ મોટા પ્રમાણમાં લુપ્ત થઈ રહ્યા છે.તેમણે ઉપસ્થિત ગ્રીન કમાન્ડોને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, 'દો પેડ મા-બાપ કે નામ' આ મંત્ર અપનાવી પિતાને પણ આપણે યાદ કરી, બે વૃક્ષ વાવી ખૂબ સારી રીતે વાવીએ-ઉછેરીએ અને પ્રકૃતિના જતનમાં જોડાઇએ. દરેક શિક્ષકને ઉદ્દેશીને તેમણે જણાવ્યું હતું કે, દરેક શિક્ષક પાસે બાળકોની ફોજ હોય છે, પ્રત્યેક બાળક પાસે એક વૃક્ષ વવડાવી ત્રણ વર્ષ સુધીનું સંવર્ધન થાય એ ચિંતા આ શિક્ષક મિત્રો કરશે તો આ એક પ્રકારની જાગૃતિનું કામ ભવિષ્ય માટે થશે. તેમણે પ્રકૃતિના બચાવ કાર્યમાં જોડાયેલા શિક્ષકોને એમની સુંદર કામગીરી બદલના એવોર્ડ માટે અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે ગ્રીન પ્લેનેટના સી.ઈ.ઓ એહમદ પઠાણે જણાવ્યું હતું કે, વિશ્વ પર્યાવરણ દિવસ એટલે પર્યાવરણ પ્રેમીઓ માટે બેસતું વર્ષ છે. પ્રકૃતિ માટે એ રીતે કાર્ય કરો કે, એવોર્ડ મળે કે ન મળે, કોઈ તમારા કામની નોંધ લે કે ન લે પણ ઉપર બેઠેલા ઈશ્વરે ચોક્કસ તમારા કાર્યની નોંધ લેવી પડે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande