સંયુક્ત રાષ્ટ્ર એ, 'યુનીફીલ' ના નવા વડા તરીકે મેજર જનરલ ડીઓદાતો અબાગનારાની નિમણૂક કરી
ન્યૂ યોર્ક/બેરુત, નવી દિલ્હી, 04 જૂન (હિ.સ.). સંયુક્ત રાષ્ટ્રએ લેબનાનમાં તૈનાત સંયુક્ત રાષ્ટ્રના વચગાળાના દળ (યુનીફીલ) ના નવા વડા તરીકે, મેજર જનરલ ડીઓદાતો અબાગનારાની નિમણૂકની જાહેરાત કરી છે. તેઓ લેફ્ટનન્ટ જનરલ આરોલ્ડો લાજારો સાએન્જનું સ્થાન લેશે. યુ
સંયુક્ત રાષ્ટ્ર


ન્યૂ યોર્ક/બેરુત, નવી દિલ્હી, 04 જૂન (હિ.સ.). સંયુક્ત રાષ્ટ્રએ લેબનાનમાં તૈનાત સંયુક્ત રાષ્ટ્રના વચગાળાના દળ (યુનીફીલ) ના નવા વડા તરીકે, મેજર જનરલ ડીઓદાતો અબાગનારાની નિમણૂકની જાહેરાત કરી છે. તેઓ લેફ્ટનન્ટ જનરલ આરોલ્ડો લાજારો સાએન્જનું સ્થાન લેશે.

યુનીફીલ દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અબાગનારા હવે આ મહત્વપૂર્ણ શાંતિ મિશનનું નેતૃત્વ કરશે, જે દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામનું નિરીક્ષણ કરે છે.

જોકે 2006 ના યુદ્ધ પછી યુદ્ધવિરામ સત્તાવાર રીતે અમલમાં છે, ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે સરહદ પારથી હુમલાઓ હજુ પણ ચાલુ છે. અહેવાલ મુજબ, ઇઝરાયલે તાજેતરના મહિનાઓમાં દક્ષિણ લેબનાનમાં હવાઈ હુમલાઓ તીવ્ર બનાવ્યા છે, જેમાં બેરુતના દક્ષિણ ઉપનગરોને નિશાન બનાવવામાં આવ્યા છે, આ વિસ્તારોને હિઝબુલ્લાહનો ગઢ માનવામાં આવે છે.

સંયુક્ત રાષ્ટ્રનું આ મિશન, 1978 થી પ્રાદેશિક સ્થિરતા જાળવવા માટે કાર્યરત છે અને હાલમાં તેમાં 10,000 થી વધુ આંતરરાષ્ટ્રીય સૈનિકો તૈનાત છે. નવા વડા અબાગનારાએ જટિલ અને સંવેદનશીલ સુરક્ષા વાતાવરણમાં શાંતિ જાળવણી અને મધ્યસ્થી કરવાની જવાબદારી લેવી પડશે.

હિન્દુસ્થાન સમાચાર / આકાશ કુમાર રાય

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande