કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, બે દિવસ સૌરાષ્ટ્રના પ્રવાશે.
મનસુખ માંડવિયા બે દિવસ સૌરાષ્ટ્રના પ્રવાશે.
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, બે દિવસ સૌરાષ્ટ્રના પ્રવાશે.


પોરબંદર, 5 જૂન (હિ.સ.) 11-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા.6 અને 7 જૂન, 2025 ના રોજ જામનગર, પોરબંદર અને રાજકોટના પ્રવાસ અર્થે આવનાર છે. આ પ્રવાસ દરમિયાન માંડવિયા તા.06 જૂન 2025, શુક્રવારના રોજ સાંજે 05 વાગ્યે જામનગર ખાતે આયોજિત જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પદગ્રહણ સમારોહ ખાતે હાજરી આપશે અને સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે સંવાદ કરશે.

તા.07 જૂન સવારે 10 વાગ્યે તેઓ પોરબંદર ખાતે આયોજિત ‘સેવાસેતુ’ કાર્યક્રમમાં હાજરી આપશે અને લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. સાંજે 04 વાગ્યે તેઓ રાજકોટના ખંઢેરી ખાતે આવેલ નિરંજન શાહ સ્ટેડીયમ ખાતે સૌરાષ્ટ્ર ક્રિકેટ લીગ દ્વારા આયોજિત સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગનું ઉદ્ઘાટન કરશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande