વર્તુ નદીના જર્જરીત બ્રીજ પર , વાહનોની અવર જવર પર પ્રતિબંધ કરાયો.
વાહનોની અવર જવર કરવા પર પ્રતિબંધ કરાયો.
વર્તુ નદીના જર્જરીત બ્રીજ પર , વાહનોની અવર જવર પર પ્રતિબંધ કરાયો.


પોરબંદર, 5 જૂન (હિ.સ.)

પોરબંદર તાલુકાના શિંગડા ટુ ગોરાણા રોડ પર ચે.5 /700 વર્તુ નદી ઉપર ક્ષાર અંકુશ વિભાગ હસ્તકનો બ્રીજ ખુબ જ જર્જરીત હાલત છે.જેથી કોઇ દુર્ઘટના ન ઘટે તે માટે પોરબંદર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.બી વદર દ્વારા શિંગડાથી ગોરાણા રોડ પર વર્તુ નદી ઉપર આવેલ બ્રીજ નવો ન બની જાય ત્યાં સુધી વાહનોની અવર જવર કરવા પર પ્રતિબંધ કરાયો છે અને વૈકલ્પિક રૂટ ઉપર વાહનની અવર-જવર કરવા જાહેરનામું બહાર પાડવા આવ્યું છે.

જે જાહેરનામુ ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-33(1)(ખ) અન્વયે શિંગડાથી ગોરાણા રોડ પર ચે.5/700 વર્તુ નદી ઉપર આવેલ બીજ નવો ન બની જાય ત્યાં સુધી વાહનોની અવર જવર કરવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. અને વૈકલ્પિક રૂટ તરીકે શિંગડાથી ગોરાણા તરફ જવા માટે સોઢાણાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. ઉપર મુજબની વિગતે ટ્રાફીક નિયમન કરવા-આથી ફરમાવવામાં આવ્યું છે. અને આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-131 હેઠળ સજાને પાત્ર ઠરશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande