નવી દિલ્હી, 5 જૂન (હિ.સ.). વિશ્વ પર્યાવરણ દિવસ પર, કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવે, પર્યાવરણીય સંરક્ષણ પ્રયાસો સાથે આયુર્વેદિક સિદ્ધાંતોને એકીકૃત કરવાના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, વિશ્વ પર્યાવરણ દિવસ પર વૃક્ષારોપણ કરીને અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીને, આપણે પ્રદૂષણમુક્ત સમાજનું નિર્માણ કરી રહ્યા છીએ. તેમણે પ્લાસ્ટિક પ્રદૂષણને દૂર કરવા અને સ્વસ્થ દેશ બનાવવા માટે દરેકને સાથે મળીને કામ કરવા હાકલ કરી. ગુરુવારે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રતાપરાવ જાધવ આયુષ મંત્રાલય કેમ્પસમાં વૃક્ષારોપણ અભિયાનનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેમની સાથે આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચા અને રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠના ડિરેક્ટર વૈદ્ય વંદના સિરોહા પણ જોડાયા હતા. આ પ્રસંગે, વૈદ્ય રાજેશ કોટેચાએ આયુર્વેદ દ્વારા ટકાઉ ભવિષ્ય બનાવવા માટે મંત્રાલયના સક્રિય પ્રયાસો પર ભાર મૂક્યો.
આ પ્રસંગે, બધા ઉપસ્થિતોને કાપડની થેલીઓનું પણ વિતરણ કરવામાં આવ્યું. આ પહેલનો હેતુ પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવાનો અને રોજિંદા જીવનમાં પર્યાવરણને અનુકૂળ વિકલ્પો વિશે જાગૃતિ લાવવાનો છે. આ પહેલે સહભાગીઓને ટકાઉ ટેવો અપનાવવા અને સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા પ્રોત્સાહિત કર્યા.
હિન્દુસ્થાન સમાચાર/વિજયાલક્ષ્મી/પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ