કેન્સરથી પીડાતા કોંગ્રેસ નેતાનો આપઘાતનો પ્રયાસ નિષ્ફળ, ફાયર વિભાગે બચાવ્યા
સુરત, 6 જૂન (હિ.સ.)- શહેરના વરિયાવ બ્રિજ પર બુધવાર રાત્રે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો, જ્યાં કોંગ્રેસના એક આગેવાને તાપી નદીમાં છલાંગ લગાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે નદીમાં ઝંપલાવતાં પહેલા બ્રિજ પર ઘણીવાર આંટા મારતા એક જાગૃત નાગરિકે ત
Surat


સુરત, 6 જૂન (હિ.સ.)- શહેરના વરિયાવ બ્રિજ પર બુધવાર રાત્રે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો, જ્યાં કોંગ્રેસના એક આગેવાને તાપી નદીમાં છલાંગ લગાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે નદીમાં ઝંપલાવતાં પહેલા બ્રિજ પર ઘણીવાર આંટા મારતા એક જાગૃત નાગરિકે તેનું વિડીયો ઉતારી તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી.

ફાયર વિભાગની ટીમ સમયસર ઘટનાસ્થળે પહોંચતાં તેઓને જીવતરા બહાર કાઢવામાં આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ નેતા છેલ્લા ચાર વર્ષથી કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાતા હતા અને ઊંઘ ન આવવાથી તથા સતત શારીરિક-મનોબળની તકલીફોને કારણે દુખી થયા હતા. આ જ કારણે તેઓએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવાનું અનુમાન છે.

ફિલહાલ તેમનું સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી હોસ્પિટલ તંત્ર તેમની હાલત પર નજર રાખી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande