પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ મિશ્રાએ, ભારે ગરમીના જોખમનો સામનો કરવા માટે વૈશ્વિક સહયોગની હાકલ કરી
નવી દિલ્હી, 07 જૂન (હિ.સ.) પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ ડૉ. પી.કે. મિશ્રાએ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના આહ્વાનને, પુનરાવર્તિત કર્યું છે અને ભારે ગરમીને વૈશ્વિક કટોકટી તરીકે સંબોધવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે ક
સચિવ


નવી દિલ્હી, 07 જૂન (હિ.સ.) પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ ડૉ. પી.કે. મિશ્રાએ

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના આહ્વાનને, પુનરાવર્તિત કર્યું છે અને ભારે ગરમીને

વૈશ્વિક કટોકટી તરીકે સંબોધવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે

કહ્યું કે,” વધતા તાપમાન જાહેર આરોગ્ય, આર્થિક સ્થિરતા અને ઇકોસિસ્ટમ માટે પ્રણાલીગત જોખમો ઉભા કરી

રહ્યું છે.”

શુક્રવારે જીનીવામાં ભારે ગરમીના જોખમ વ્યવસ્થાપન પરના ખાસ

સત્ર દરમિયાન મુખ્ય ભાષણ આપતા ડૉ. મિશ્રાએ કહ્યું કે.” ગરમીના મોજા સરહદ પાર અને

પ્રણાલીગત જોખમો છે, ખાસ કરીને ગીચ

વસ્તીવાળા શહેરી વિસ્તારો માટે છે.” તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને ગરમી સહનશીલતા

પર તકનીકી સહયોગ, ડેટા શેરિંગ અને

સંયુક્ત સંશોધન વધારવા વિનંતી કરી.

તેમણે કહ્યું કે,” ભારતે ભારે ગરમીના જોખમ વ્યવસ્થાપન માટે

સક્રિય અને દૂરંદેશી અભિગમ અપનાવ્યો છે.” તેમણે માહિતી આપી કે,” ભારત આપત્તિ

પ્રતિભાવથી આગળ વધીને સંકલિત તૈયારી અને શમન વ્યૂહરચના તરફ આગળ વધ્યું છે.”

મુખ્ય સચિવે ભાર મૂક્યો કે,” 23 ગરમી-સંભવિત

રાજ્યોના 250 થી વધુ શહેરો

અને જિલ્લાઓમાં ગરમી કાર્ય યોજનાઓ કાર્યરત છે, જેને એન્ડીએમએફની સલાહકાર, તકનીકી અને સંસ્થાકીય વ્યવસ્થાઓ દ્વારા સમર્થન

આપવામાં આવ્યું છે.” તેમણે કહ્યું કે,” મજબૂત દેખરેખ, હોસ્પિટલોની

તૈયારી અને જાગૃતિ અભિયાનોને કારણે ગરમીથી થતા મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો

છે.”

નીતિગત પરિવર્તનની જાહેરાત કરતા, ડૉ. મિશ્રાએ

જણાવ્યું હતું કે,” રાષ્ટ્રીય અને રાજ્ય આપત્તિ શમન ભંડોળ (એસડીએમએફ) હવે ગરમીના મોજા

ઘટાડવા માટે વાપરી શકાય છે,

જેનાથી સ્થાનિક

સરકારો, ખાનગી ક્ષેત્રની

સંસ્થાઓ, એનજીઓઅને વ્યક્તિઓ

નિવારણ અને શમન પ્રોજેક્ટ્સને સહ-ભંડોળ આપી શકે છે, જેનાથી સહિયારી જવાબદારીને પ્રોત્સાહન મળે છે.”

ડૉ. મિશ્રાએ ભારે ગરમી સામે સ્થિતિસ્થાપક, સંકલિત અને

સક્રિય વૈશ્વિક પ્રતિભાવ સુનિશ્ચિત કરવા માટે વૈશ્વિક ભાગીદારો સાથે તેની કુશળતા, તકનીકી ક્ષમતાઓ

અને સંસ્થાકીય શક્તિઓ શેર કરવાની ભારતની સંપૂર્ણ પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી.

હિન્દુસ્થાન સમાચાર/સુશીલ કુમાર/મુકુંદ

---------------

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande