મોદી સરકાર, ભારતને નક્સલવાદના ત્રાસમાંથી મુક્ત કરવા માટે કટિબદ્ધ છે: અમિત શાહ
નવી દિલ્હી, 7 જૂન (હિ.સ.). કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, શનિવારે નવી દિલ્હીમાં તાજેતરના નક્સલવાદ વિરોધી કામગીરીમાં મુખ્ય ભૂમિકા ભજવનારા અધિકારીઓને મળ્યા અને આ કામગીરીની સફળતા માટે તેમને અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે મોદી સરકાર ભારતને નક્સલવાદના ત્ર
અમિત શાહે, નક્સલવાદ વિરોધી કામગીરીમાં મુખ્ય ભૂમિકા ભજવનારા અધિકારીઓનું સન્માન કર્યું


નવી દિલ્હી, 7 જૂન (હિ.સ.). કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, શનિવારે નવી દિલ્હીમાં તાજેતરના નક્સલવાદ વિરોધી કામગીરીમાં મુખ્ય ભૂમિકા ભજવનારા અધિકારીઓને મળ્યા અને આ કામગીરીની સફળતા માટે તેમને અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે મોદી સરકાર ભારતને નક્સલવાદના ત્રાસમાંથી મુક્ત કરવા માટે કટિબદ્ધ છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં કહ્યું, નક્સલવાદ સામેના તાજેતરના ઓપરેશનમાં મુખ્ય ભૂમિકા ભજવનારા અધિકારીઓને મળ્યા અને આ ઓપરેશનની ઐતિહાસિક સફળતા બદલ તેમને અભિનંદન આપ્યા. હું સૈનિકોને મળવા માટે પણ ઉત્સુક છું, જેમણે પોતાની બહાદુરીથી આ ઓપરેશનને સફળ બનાવ્યા અને ટૂંક સમયમાં છત્તીસગઢ આવીને તેમને મળીશ. મોદી સરકાર ભારતને નક્સલવાદના ત્રાસમાંથી મુક્ત કરવા માટે કટિબદ્ધ છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રીના નિર્દેશનમાં, સુરક્ષા દળો છત્તીસગઢમાં માઓવાદી વિરોધી કામગીરી ચલાવી રહ્યા છે. આ અંતર્ગત, છત્તીસગઢ પોલીસ (નારાયણપુર, દાંતેવાડા, કોંડાગાંવ અને બીજાપુર જિલ્લાના ડીઆરજી એકમો સહિત) દ્વારા 18 થી 21 મે દરમિયાન અબુઝમાડના આંતરિક વિસ્તારોમાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 21 મેના રોજ, બોટેર ગામના જંગલોમાં એક એન્કાઉન્ટરમાં સીપીઆઈ (માઓવાદી) ના મહાસચિવ અને પોલિટબ્યુરો સભ્ય બસવારાજુ ઉર્ફે ગગન્ના સહિત 27 નક્સલીઓ માર્યા ગયા હતા, અને મોટી માત્રામાં શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો હતો.

આ ઓપરેશનમાં સામેલ અધિકારીઓમાં, છત્તીસગઢના પોલીસ મહાનિર્દેશક અરુણ દેવ ગૌતમ, અધિક પોલીસ મહાનિર્દેશક (નક્સલ વિરોધી કામગીરી/એસઆઈબી/એસટીએફ) વિવેકાનંદ, પોલીસ મહાનિરીક્ષક (બસ્તર રેન્જ) સુંદરરાજ, પોલીસ અધિક્ષક (નારાયણપુર) પ્રભાત કુમાર, પોલીસ અધિક્ષક (બીજાપુર) જીતેન્દ્ર યાદવ અને પોલીસ અધિક્ષક (નક્સલ મુક્ત બસ્તર જિલ્લો) શલભ સિંહનું, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાય, નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર શર્મા, કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન, ગુપ્તચર બ્યુરોના ડિરેક્ટર તપન ડેકા અને અન્ય ઘણા વરિષ્ઠ અધિકારીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande