રાંચી, નવી દિલ્હી, 07 જૂન (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની 10 અને 11 જૂને દેવધરની પ્રસ્તાવિત મુલાકાત મુલતવી રાખવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવને આ અંગેની માહિતી એઈમ્સ મેનેજમેન્ટ અને જિલ્લા વહીવટીતંત્રને મોકલી છે. રાષ્ટ્રપતિના કાર્યક્રમ મુલતવી રાખવાને કારણે, હવે દેવધર એઈમ્સ ખાતે પ્રથમ એમબીબીએસ દીક્ષાંત સમારોહ માટે નવી તારીખ પણ જાહેર કરવામાં આવશે.
એઈમ્સના ડિરેક્ટર ડૉ. સૌરભ વાર્ષ્ણેયને, શુક્રવારે મોડી સાંજે રાષ્ટ્રપતિ ભવનથી આ અંગે જાણ કરવામાં આવી હતી. તેઓ મુખ્યમંત્રી હેમંત સોરેનને દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યા બાદ, રાંચીથી દેવઘર પરત ફરી રહ્યા હતા. ડૉ. વાર્ષ્ણેયે જણાવ્યું હતું કે, વિશાખાપટ્ટનમમાં રાષ્ટ્રપતિનો કાર્યક્રમ પણ મુલતવી રાખવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / વિકાસ કુમાર પાંડે / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ