ભારત-બ્રિટન વ્યૂહાત્મક ભાગીદારીને નવી ગતિ, બંને દેશોના વિદેશ મંત્રીઓએ બેઠક યોજી
નવી દિલ્હી, 7 જૂન (હિ.સ.). વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે, શનિવારે દિલ્હીમાં તેમના બ્રિટિશ સમકક્ષ ડેવિડ લેમી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને નેતાઓ વચ્ચેની આ બેઠકમાં આતંકવાદ સહિત દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. બંને દેશો આતંકવાદ પર સ
ભારત-બ્રિટનના વિદેશ મંત્રીઓએ બેઠક યોજી


નવી દિલ્હી, 7 જૂન (હિ.સ.). વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે, શનિવારે દિલ્હીમાં તેમના બ્રિટિશ સમકક્ષ ડેવિડ લેમી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને નેતાઓ વચ્ચેની આ બેઠકમાં આતંકવાદ સહિત દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. બંને દેશો આતંકવાદ પર સાથે મળીને કામ કરવા સંમત થયા છે અને માને છે કે વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવાથી નવી તકો ઊભી થશે.

વિદેશ મંત્રીએ એક્સ પર બેઠક અને વાતચીત વિશે માહિતી આપી હતી. વિદેશ મંત્રીએ, પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની બ્રિટન દ્વારા કરવામાં આવેલી કડક નિંદાની પ્રશંસા કરી હતી. ઉપરાંત, આતંકવાદ સામે સંયુક્ત લડાઈમાં બ્રિટનના સમર્થનને મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યું હતું. આતંકવાદનો સામનો કરવા માટે બંને પક્ષોએ સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

બેઠકમાં દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને વેપાર, સંરક્ષણ, શિક્ષણ અને તકનીકી ક્ષેત્રોમાં સહયોગની ચર્ચા કરવામાં આવી હતી. બંને નેતાઓ સંમત થયા હતા કે જેમ જેમ સહયોગ વધે છે તેમ તેમ નવી તકો ઉભરી આવે છે. આ વાતચીતમાં વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. બહુપક્ષીય મંચો પર ભારત અને બ્રિટન વચ્ચે ભાગીદારીને વધુ મજબૂત બનાવવા પર સર્વસંમતિ હતી.

હિન્દુસ્થાન સમાચાર/અનુપ શર્મા/પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande