મણિપુર હિંસા સાથે જોડાયેલા અરેમ્બાઈ તેંગગોલના સભ્યની સીબીઆઈ એ ધરપકડ કરી
નવી દિલ્હી, 8 જૂન (હિ.સ.). સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ, રવિવારે ઇમ્ફાલ એરપોર્ટ પરથી અરેમ્બાઈ તેંગગોલ (એટી) સંગઠનના સભ્ય કાનન સિંહની ધરપકડ કરી. કાનન સિંહ 2023 માં મણિપુરમાં થયેલી હિંસા સંબંધિત વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હતો. સીબ
મણિપુર હિંસા સાથે જોડાયેલા અરેમ્બાઈ તેંગગોલના સભ્યની સીબીઆઈ એ ધરપકડ કરી


નવી દિલ્હી, 8 જૂન (હિ.સ.). સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ, રવિવારે ઇમ્ફાલ એરપોર્ટ પરથી અરેમ્બાઈ તેંગગોલ (એટી) સંગઠનના સભ્ય કાનન સિંહની ધરપકડ કરી. કાનન સિંહ 2023 માં મણિપુરમાં થયેલી હિંસા સંબંધિત વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હતો. સીબીઆઈ એ તેની ધરપકડ વિશે તેના પરિવારને જાણ કરી છે.

સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર સીબીઆઈ મણિપુર હિંસાની તપાસ કરી રહી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, મણિપુર હિંસા સંબંધિત કેસોની સુનાવણી મણિપુરથી ગુવાહાટી ટ્રાન્સફર કરવામાં આવી છે.

અરેમ્બાઈ (પરંપરાગત મૈતેઈ હથિયાર) તેંગગોલ (જૂથ) એ મૈતેઈ યુવાનોનું સંગઠન છે. તેના પર 2023 ની વંશીય હિંસા દરમિયાન ઘણી હિંસક પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

સીબીઆઈ અનુસાર, ધરપકડ બાદ, કાનન સિંહને ઇમ્ફાલથી ગૌહાટી લાવવામાં આવ્યો છે. તેને ટૂંક સમયમાં પોલીસ રિમાન્ડ માટે સક્ષમ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

સીબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે, તપાસ હજુ પણ ચાલુ છે. મણિપુર હિંસાના સંદર્ભમાં ઘણી ધરપકડો થઈ ચૂકી છે. હિંસા સંબંધિત ઘટનાઓમાં અરેમ્બાઈ ટેંગોલ સંગઠનનું નામ પણ અગાઉ સામે આવ્યું છે.

આ ધરપકડથી મણિપુર હિંસા સંબંધિત કેસોની તપાસ ઝડપી થવાની અપેક્ષા છે. આ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓની પણ શોધ ચાલી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande