ગૃહમંત્રી અમિત શાહે, મદુરાઈ મીનાક્ષી અમ્મનને કર્યા નમન
મદુરાઈ, નવી દિલ્હી,8 જૂન (હિ.સ.) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવારે, યોજાનારી રાજ્ય ભાજપ કારોબારીની બેઠકમાં, હાજરી આપવા માટે શનિવારે રાત્રે ખાનગી વિમાન દ્વારા મદુરાઈ પહોંચ્યા હતા. 2026ની વિધાનસભા ચૂંટણી પહેલા, રાજકીય પક્
શાહ


મદુરાઈ, નવી દિલ્હી,8 જૂન (હિ.સ.)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવારે, યોજાનારી રાજ્ય ભાજપ કારોબારીની બેઠકમાં,

હાજરી આપવા માટે શનિવારે રાત્રે ખાનગી વિમાન દ્વારા મદુરાઈ પહોંચ્યા હતા. 2026ની વિધાનસભા

ચૂંટણી પહેલા, રાજકીય પક્ષો

ગઠબંધન પુષ્ટિ કરવા, પક્ષને મજબૂત

બનાવવા અને ચૂંટણી માટે રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. તાજેતરમાં, ડીએમકેએ

મદુરાઈમાં એક સામાન્ય સમિતિ બોલાવી છે. એરપોર્ટ પર પહોંચતા, તેમનું સ્વાગત

કેન્દ્રીય રાજ્યમંત્રી એલ. મુરુગન, તમિલનાડુ ભાજપ પ્રમુખ નૈનાર નાગેન્દ્રન, તમિલિસાઈ

સુંદરરાજન અને અન્ય પક્ષના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે સવારે 11 વાગ્યે મદુરાઈ

મીનાક્ષી અમ્મન મંદિરમાં દર્શન અને પૂજા કર્યા હતા. દર્શન દરમિયાન, મંદિર

વહીવટીતંત્ર દ્વારા પ્રસાદ પણ અર્પણ કરવામાં આવ્યો હતો. તે જ સમયે, અમિત શાહની

મુલાકાતને કારણે ભક્તોને એક કલાક માટે મંદિરમાં પ્રવેશવાથી રોકી દેવામાં આવ્યો

હતો. મંદિરના બધા દરવાજાઓ પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને બોમ્બ ડિસ્પોઝલ

સ્ક્વોડ પણ તૈનાત કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / ડૉ. વારા પ્રસાદ રાવ પીવી / અમરેશ

દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande