બિહારમાં મતદાર યાદી સુધારણા દરમિયાન, મોટી સંખ્યામાં વિદેશીઓ મળી આવ્યા
નવી દિલ્હી, 13 જુલાઈ (હિ.સ.) બિહારમાં ચાલી રહેલા ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (એસઆઈઆર) દરમિયાન મોટી સંખ્યામાં વિદેશી નાગરિકોની ઓળખ કરવામાં આવી છે. આ માહિતી બૂથ લેવલ ઓફિસર્સ (બીએલઓ) દ્વારા ડોર-ટુ-ડોર ચકાસણી દ્વારા પ્રકાશમાં આવી
મત


નવી દિલ્હી, 13 જુલાઈ (હિ.સ.)

બિહારમાં ચાલી રહેલા ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (એસઆઈઆર) દરમિયાન મોટી

સંખ્યામાં વિદેશી નાગરિકોની ઓળખ કરવામાં આવી છે. આ માહિતી બૂથ લેવલ ઓફિસર્સ (બીએલઓ) દ્વારા

ડોર-ટુ-ડોર ચકાસણી દ્વારા પ્રકાશમાં આવી છે.

ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર, “બિહારમાં મતદાર

યાદી અપડેટના આ ખાસ કાર્યક્રમ દરમિયાન, બૂથ લેવલ ઓફિસર્સને ડોર-ટુ-ડોર ચકાસણીમાં મોટી સંખ્યામાં

નેપાળ, બાંગ્લાદેશ અને

મ્યાનમારના નાગરિકો મળી આવ્યા છે.”

ચૂંટણી પંચના સૂત્રો કહે છે કે,” 1 ઓગસ્ટ પછી યોગ્ય તપાસ

પૂર્ણ થયા પછી, તેમના નામ ૩૦

સપ્ટેમ્બરે પ્રકાશિત થનારી અંતિમ યાદીમાં સામેલ કરવામાં આવશે નહીં.”

બિહારમાં મતદાર યાદીના આ ખાસ ચકાસણી અભિયાનનો હેતુ આગામી

વિધાનસભા ચૂંટણી પહેલા, મતદાર યાદીને અપડેટ અને ભૂલમુક્ત બનાવવાનો છે. આ અંતર્ગત, બીએલઓડોર-ટુ-ડોર જઈને

મતદાર યાદીમાં નોંધાયેલા નામોની ચકાસણી કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલનો ઉદ્દેશ્ય લાયક મતદારોની નોંધણી

સુનિશ્ચિત કરવાનો અને યાદીમાંથી અયોગ્ય નામો દૂર કરવાનો છે. બિહારમાં આગામી

વિધાનસભા ચૂંટણીની તૈયારીના ભાગ રૂપે, આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત, શનિવાર સુધીમાં, દર ચારમાંથી ત્રણ

મતદારોએ તેમના ઉમેદવારી ફોર્મ સબમિટ કર્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande