બાંગ્લાદેશી કોસ્ટ ગાર્ડ દ્વારા, 34 ભારતીય માછીમારોની અટકાયત
- ભારતીય માછીમારો ભૂલથી બાંગ્લાદેશ સરહદમાં પ્રવેશી ગયા દક્ષિણ 24 પરગણા, નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.) બંગાળની ખાડીમાં માછીમારી કરતી વખતે ભૂલથી બાંગ્લાદેશી સરહદમાં પ્રવેશી ગયા બાદ બાંગ્લાદેશ કોસ્ટ ગાર્ડ દ્વારા 34 ભારતીય માછીમારોની અટકાયત કરવામાં આવી છ
બાંગ્લાદેશી કોસ્ટ ગાર્ડ દ્વારા, 34 ભારતીય માછીમારોની અટકાયત


- ભારતીય માછીમારો ભૂલથી બાંગ્લાદેશ સરહદમાં પ્રવેશી ગયા

દક્ષિણ 24 પરગણા, નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.) બંગાળની ખાડીમાં માછીમારી કરતી વખતે ભૂલથી બાંગ્લાદેશી સરહદમાં પ્રવેશી ગયા બાદ બાંગ્લાદેશ કોસ્ટ ગાર્ડ દ્વારા 34 ભારતીય માછીમારોની અટકાયત કરવામાં આવી છે. રવિવારે રાત્રે લગભગ 2 વાગ્યે, એક ટ્રોલર પર સવાર 34 ભારતીય માછીમારોને બાંગ્લાદેશ કોસ્ટ ગાર્ડ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આ ઘટના મોંગલા બંદરથી લગભગ 77 નોટિકલ માઇલ દૂર સમુદ્રમાં બની હતી.

માછીમાર સંગઠનો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ બધા માછીમારો પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના સુંદરવન વિસ્તારના રહેવાસી છે. આજીવિકાની શોધમાં દરિયામાં ગયેલા આ માછીમારો અંધારા અને ખરાબ હવામાનને કારણે રસ્તો ભૂલી ગયા હતા અને ભૂલથી બાંગ્લાદેશની દરિયાઈ સરહદમાં પ્રવેશી ગયા હતા.

બાંગ્લાદેશી કોસ્ટ ગાર્ડે, માછીમારોના બંને ટ્રોલર અને અન્ય વસ્તુઓ પણ જપ્ત કરી હતી. હાલમાં, બંને ટ્રોલરને મોંગલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. માછીમાર સંગઠનના અધિકારીઓ ભારત સરકાર સાથે સતત સંપર્કમાં છે, જેથી આ માછીમારોને શક્ય તેટલી વહેલી તકે મુક્ત કરી શકાય.

હિન્દુસ્થાન સમાચાર / ધનંજય પાંડે / સંતોષ મધુપ / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande