પટણા, નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.) મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી મંત્રીમંડળની બેઠકમાં, આગામી પાંચ વર્ષમાં 1 કરોડ નોકરીઓ પૂરી પાડવાના લક્ષ્ય સહિત કુલ 30 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી.
મુખ્યમંત્રી નીતિશ કુમારે, પટણાના જૂના સચિવાલયમાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં 30 મહત્વપૂર્ણ દરખાસ્તોને મંજૂરી આપી છે. આ અંતર્ગત, મંત્રીમંડળે આગામી પાંચ વર્ષમાં 1 કરોડ નોકરીઓ પૂરી પાડવાના લક્ષ્યને મંજૂરી આપી છે. સરકાર બિહારમાં ચાલી રહેલા ખાસ મતદાર સુધારણામાં રોકાયેલા બીએલઓ અને સુપરવાઇઝરોને 6000 રૂપિયાનું એક વખતનું વધારાનું માનદ વેતન આપશે, આ દરખાસ્તને પણ મંત્રીમંડળે મંજૂરી આપી હતી.
બિહાર સરકાર, 2025 થી 2030 સુધીના પાંચ વર્ષમાં એક કરોડ નોકરીઓ અને રોજગાર આપશે. નવી નોકરીઓ અને રોજગાર સર્જન માટે સરકારને સલાહ આપવા માટે વિકાસ કમિશનરની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવશે. આ માટે કુલ 12 સભ્યો બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, ખાસ સઘન સુધારણા કાર્ય માટે 77895 બીએલઓ અને 8245 બીએલઓ સુપરવાઇઝરને વાર્ષિક માનદ વેતન ઉપરાંત 6000 રૂપિયાનું એક વખતનું માનદ વેતન આપવા માટે, 51 કરોડ 68 લાખ 40000 રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.
બિહાર કેબિનેટની બેઠકમાં ચાર ડોક્ટરોને બરતરફ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. આ અંતર્ગત, લખીસરાયમાં પોસ્ટ કરાયેલા ડૉ. કૃતિકા સિંહ, બેગુસરાયમાં પોસ્ટ કરાયેલા ડૉ. કૃતિ કિરણ, બેગુસરાયમાં પોસ્ટ કરાયેલા ડૉ. ચંદના કુમારી અને જમુઈમાં પોસ્ટ કરાયેલા ડૉ. નિમિષા રાનીને સરકારી સેવામાંથી બરતરફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સતત ગેરહાજર રહેવાને કારણે આ બધાને સરકારી સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે.
પટનાની જેમ, કેબિનેટે ભાગલપુર અને મુંગેરમાં ગંગા પરના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ અંતર્ગત, ભાગલપુરમાં સુલતાનગંજ-ભાગલપુર-સબોર વચ્ચે 40.80 કિલોમીટર લાંબો રસ્તો બનાવવામાં આવશે. આ માટે 4,850 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. મુંગેર જિલ્લામાં પણ ગંગા પથ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. મુંગેર-બરિયારપુર-ઘોરઘટ-સુલતાનગંજ વચ્ચે 42 કિલોમીટર લાંબો રસ્તો બનાવવામાં આવશે અને તેના માટે 5,120 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / ગોવિંદ ચૌધરી / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ