ભુજ – કચ્છ, 18 જુલાઈ (હિ.સ.) કચ્છમાં માનવ વસાહત રહિત કુલ-૨૧ નિર્જન ટાપુઓ ૫ર રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ તેમજ આતંકવાદી અને દેશવિરોધી પ્રવૃત્તિને રોકવા પ્રવેશ ૫ર પ્રતિબંધ મુકવા બાબતે જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત રજૂ થઈ હતી. જેના અનુસંધાને કચ્છના મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરીને આવા ટાપુઅ ઉપર જવા માટે પ્રતિબંધ લદાયો છે.
આ ટાપુઓ ઉપર જઇ શકાશે નહીં
કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ ૫ટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાના શેખરણ પીર, ઓગતરા, લુણાબેટ, ખદરાઈ પીર ટાપુ, સૈયદ સુલેમાન પીર ટાપુ, ચભડીયો ટાપુ, લુણ ટાપુ, ગોધરાઇ ટાપુ, મોટાપીર, હેમતલ (હંઈતલ), હાજી ઈબ્રાહીમ, ખાનાણા બેટ, ગોપી બેટ, સતોરી બેટ, ભકલ બેટ, સાવલા પીર, સુગર બેટ, પીર સનાઈ, બોયા બેટ, સેથવારા બેટ, સત સૈડા ટાપુ સહિત કુલ-૨૧ (એકવીસ) ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.
ફરજપરસ્ત લોકોને મુક્તિ
આ જાહેરનામામાં રાજ્ય, કેન્દ્ર સરકારની સુરક્ષા એજન્સીઓ, સરકારી કામે રોકાયેલા રાજ્ય, કેન્દ્ર સરકારના કર્મચારી,અધિકારી ઓને મુક્તિ આપવામાં આવશે. આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA