સરકાર દ્વારા દરેક વિષય પર ચર્ચા કરવાની ખાતરી છતાં વિપક્ષે હંગામો મચાવ્યો, લોકસભા બે વાર મુલતવી રાખવામાં આવી
નવી દિલ્હી, 21 જુલાઈ (હિ.સ.) સોમવારે ચોમાસુ સત્રના પહેલા દિવસે, ''ઓપરેશન સિંદૂર'' પર ચર્ચાની માંગણી સાથે વિપક્ષ દ્વારા કરવામાં આવેલા હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી પહેલા બપોરે 12 વાગ્યા સુધી અને પછી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી. સરકારે
સરકાર દ્વારા દરેક વિષય પર ચર્ચા કરવાની ખાતરી છતાં વિપક્ષે હંગામો મચાવ્યો, લોકસભા બે વાર મુલતવી રાખવામાં આવી


નવી દિલ્હી, 21 જુલાઈ (હિ.સ.) સોમવારે ચોમાસુ સત્રના પહેલા દિવસે, 'ઓપરેશન સિંદૂર' પર ચર્ચાની માંગણી સાથે વિપક્ષ દ્વારા કરવામાં આવેલા હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી પહેલા બપોરે 12 વાગ્યા સુધી અને પછી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી. સરકારે ખાતરી આપી કે, તે લોકસભા સ્પીકર દ્વારા નક્કી કરાયેલા સમય મુજબ કોઈપણ મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે.

ગૃહના નાયબ નેતા અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે લોકસભામાં વિપક્ષને ખાતરી આપી કે, સરકાર નિર્ધારિત પ્રક્રિયા મુજબ કોઈપણ વિષય પર જરૂર પડે તેટલા સમય માટે ચર્ચા કરવા તૈયાર છે. અગાઉ, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ પણ કહ્યું હતું કે, બપોરે યોજાનારી કાર્યપદ્ધતિ સલાહકાર સમિતિની બેઠકમાં, વિષય અને ચર્ચાના સમય પર તમામ પક્ષો વચ્ચે ચર્ચા થશે. તેમણે એમ પણ કહ્યું કે, સત્રના પહેલા જ દિવસે આટલો હંગામો કરવો યોગ્ય નથી.

લોકસભાના પહેલા દિવસની કાર્યવાહી મૃતક સભ્યોને શ્રદ્ધાંજલિ આપવાથી શરૂ થઈ. આ પછી, પ્રશ્નકાળ શરૂ થતાં જ, વિપક્ષી સભ્યોએ 'ઓપરેશન સિંદૂર' પર હોબાળો શરૂ કરી દીધો. લોકસભા અધ્યક્ષે વિપક્ષને પ્રશ્નકાળ ચાલુ રાખવાની અપીલ કરી. તેમણે કહ્યું કે, સરકાર ચર્ચા માટે તૈયાર છે. પરંતુ હોબાળો બંધ ન થતાં, ગૃહને બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું.

બપોરે 12 વાગ્યે કાર્યવાહી ફરી શરૂ થઈ, પરંતુ હોબાળો ચાલુ રહ્યો. પીઠાસીન અધિકારી જગદંબિકા પાલે, વારંવાર વિપક્ષી સભ્યોને શાંતિ જાળવવા અને પ્રશ્નકાળ અને શૂન્યકાળનું મહત્વ સમજવા અપીલ કરી. તે જ સમયે, વિપક્ષ 'ઓપરેશન સિંદૂર' પર તાત્કાલિક ચર્ચાની માંગ પર અડગ રહ્યો.

હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande