સંસદનું ચોમાસુ સત્ર, આજથી શરૂ
નવી દિલ્હી, 21 જુલાઈ (હિ.સ.). સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. ગઈકાલે સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે, વડા પ્રધાને ઓપરેશન સિંદૂર, અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા દખલગીરીના દાવાઓ, બિહાર અને મણિપુરમાં મતદાર યાદીમાં સઘન સુધારો જેવા
નવું સંસદ ભવન


નવી દિલ્હી, 21 જુલાઈ (હિ.સ.). સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. ગઈકાલે સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે, વડા પ્રધાને ઓપરેશન સિંદૂર, અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા દખલગીરીના દાવાઓ, બિહાર અને મણિપુરમાં મતદાર યાદીમાં સઘન સુધારો જેવા મુદ્દાઓ પર જવાબ આપવો જોઈએ. સરકારે કહ્યું કે, નિયમો અને પરંપરા અનુસાર, તે દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે.

સંસદનું ચોમાસુ સત્ર, જે આજથી શરૂ થઈ રહ્યું છે, તે 21 ઓગસ્ટ સુધી ચાલુ રહેવાનો પ્રસ્તાવ છે. સત્રના સુચારુ સંચાલન માટે, રવિવારે રાજ્યસભામાં ગૃહના નેતા જેપી નડ્ડાની અધ્યક્ષતામાં સંસદ ભવનના એનેક્સીમાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી.

આ બેઠક દોઢ કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. ભાજપ અને એનડીએ પક્ષો તેમજ કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પક્ષોના વરિષ્ઠ નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી. બેઠક પછી, લોકસભામાં કોંગ્રેસના ઉપનેતા ગૌરવ ગોગોઈએ કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ શેર કર્યા.

સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે, ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ છે જેના પર તમામ પક્ષોએ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા છે કે, આ મુદ્દાઓ પર ગૃહમાં ચર્ચા થવી જોઈએ. અમે ખુલ્લા દિલથી તૈયાર છીએ. અમે નિયમો અને પરંપરાઓનું પાલન કરીએ છીએ. તેથી, દરેક વિષય પર નિયમો અને પરંપરાઓ અનુસાર ચર્ચા કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande