બાંગ્લાદેશી ઘૂસણખોરોના આધારે રાજકારણ કરનારાઓ ડરી ગયા છે: રવિશંકર પ્રસાદ
નવી દિલ્હી, 22 જુલાઈ (હિ.સ.). ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ રવિશંકર પ્રસાદે, બિહારમાં મતદાર યાદીના ખાસ સઘન સુધારણા અભિયાનનો વિરોધ કરવા બદલ વિપક્ષ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, બાંગ્લાદેશી ઘૂસણખોરોના આધારે રાજકારણ કરનારા નેતાઓ ચૂંટણી પંચના અભિયા
સાંસદ રવિશંકર પ્રસાદ


નવી દિલ્હી, 22 જુલાઈ (હિ.સ.). ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ રવિશંકર પ્રસાદે, બિહારમાં મતદાર યાદીના ખાસ સઘન સુધારણા અભિયાનનો વિરોધ કરવા બદલ વિપક્ષ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, બાંગ્લાદેશી ઘૂસણખોરોના આધારે રાજકારણ કરનારા નેતાઓ ચૂંટણી પંચના અભિયાનથી ડરી ગયા છે.

ભાજપ સાંસદ પ્રસાદે સંસદ ભવનમાં મીડિયાકર્મીઓને જણાવ્યું હતું કે, ભારતના બંધારણ મુજબ, ફક્ત દેશના રહેવાસીઓને જ મતદાન કરવાનો અધિકાર છે. જો તેની તપાસ થઈ રહી છે, તો તેમને શા માટે સમસ્યા છે. ડ્રાફ્ટ તૈયાર થયા પછી, બધા પક્ષોને અપીલ કરવાનો અધિકાર છે. તેઓ અપીલ કરી શકે છે. ખબર નથી કે વિરોધ પક્ષો આ અંગે કેમ હોબાળો મચાવી રહ્યા છે. અરરિયા, પૂર્ણિયા અને કિશનગંજમાં 125 ટકા લોકોને આધાર કાર્ડ જારી કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચે કહ્યું છે કે, મોટાભાગના લોકો બહારથી આવ્યા છે. ભારત ધર્મશાળા નથી.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande