રાજસ્થાનના ઝાલાવાડમાં શાળાની છત તૂટી, ઘણા બાળકો ફસાયા હોવાની આશંકા, બચાવ કામગીરી ચાલુ
ઝાલાવાડ(રાજસ્થાન), નવી દિલ્હી,25 જુલાઈ (હિ.સ.) ઝાલાવાડ જિલ્લાના ડાંગીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના પીપલોડી ગામમાં આવેલી, પ્રાથમિક શાળાની છત શુક્રવારે સવારે અચાનક તૂટી પડી. આ અકસ્માતમાં લગભગ દોઢ ડઝન બાળકો કાટમાળ નીચે દટાઈ ગયા
રાજસ્થાનના ઝાલાવાડમાં શાળાની છત તૂટી, ઘણા બાળકો ફસાયા હોવાની આશંકા, બચાવ કામગીરી ચાલુ


ઝાલાવાડ(રાજસ્થાન), નવી દિલ્હી,25 જુલાઈ (હિ.સ.)

ઝાલાવાડ જિલ્લાના ડાંગીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના પીપલોડી ગામમાં આવેલી,

પ્રાથમિક શાળાની છત શુક્રવારે સવારે અચાનક તૂટી પડી. આ અકસ્માતમાં લગભગ દોઢ ડઝન

બાળકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ગ્રામજનોએ ડાંગીપુરા પોલીસ સ્ટેશનની મદદથી રાહત

અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અત્યાર સુધીમાં ઘણા બાળકોને સુરક્ષિત રીતે બચાવી

લેવામાં આવ્યા છે અને મનોહર પોલીસ સ્ટેશનની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

છે.

પ્રાથમિક માહિતી અનુસાર,”અકસ્માતમાં ચાર બાળકોના મોત થયા છે, પરંતુ તેની

સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પોલીસ સ્ટેશન અધિકારી, તબીબી ટીમ અને વહીવટી અધિકારીઓ સ્થળ પર હાજર છે. બચાવ

કામગીરી ચાલુ છે. કાટમાળમાં વધુ બાળકો ફસાયા હોવાની શક્યતા છે.”

ગ્રામજનોના મતે, આ શાળાની ઇમારત ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતી, પરંતુ અહીં

નિયમિતપણે વર્ગો યોજાતા હતા.

મનોહર થાણા હોસ્પિટલના ડૉ. કૌશલ લોઢાએ જણાવ્યું હતું કે,”

અકસ્માત પછી તરત જ કુલ 35 ઘાયલ બાળકોને,

હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ, 11 બાળકોને ગંભીર

હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.”

હિન્દુસ્થાન સમાચાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande