'ભારત-યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA) પર કેન્દ્રિત ચર્ચા' કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર મંત્રીની ઉપસ્થિતિ
અમદાવાદ, 30 જુલાઈ (હિ.સ.) : ઉદ્યોગ અને ખાણ વિભાગ, GCCI તથા વિદેશ વેપાર મહા નિર્દેશાલયના સંયુક્ત ઉપક્રમે આયોજિત ''ભારત-યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA) પર કેન્દ્રિત ચર્ચા'' કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્ય
'ભારત-યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA) પર કેન્દ્રિત ચર્ચા'


'ભારત-યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA) પર કેન્દ્રિત ચર્ચા'


'ભારત-યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA) પર કેન્દ્રિત ચર્ચા'


અમદાવાદ, 30 જુલાઈ (હિ.સ.) : ઉદ્યોગ અને ખાણ વિભાગ, GCCI તથા વિદેશ વેપાર મહા નિર્દેશાલયના સંયુક્ત ઉપક્રમે આયોજિત 'ભારત-યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA) પર કેન્દ્રિત ચર્ચા' કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા.

શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે આ પ્રસંગે ગુજરાતના વિકાસ મોડેલ વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે આપણા દેશના નેતૃત્વના સાતત્યપૂર્ણ પ્રયત્નોથી આપણે હવે વિશ્વની ચોથી મોટી આર્થિક શક્તિ તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભારત-યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA) ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના આપણા સંકલ્પને સાકાર કરવાની દિશામાં મહત્વનો સાબિત થશે.

વધુમાં, રાજપૂતે ફૂડપાર્ક માટેના MOU વિશે વાત કરી હતી તથા લોજિસ્ટિક ખર્ચ ઘટાડવા માટે સરકારના પગલાં વિશે ઉપસ્થિત સૌને માહિતગાર આપી હતી. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે પ્લાસ્ટિક, કાપડ, રસાયણો જેવા ઉદ્યોગોને આ કરાર દ્વારા ઘણો ફાયદો થશે.

ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના મુખ્ય સચિવ મમતા વર્માએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારત-યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર આપણા રાષ્ટ્ર માટે ખૂબ જ ગર્વની બાબત છે. આ એક ઐતિહાસિક અને વ્યૂહાત્મક કરાર છે અને 'વિકસિત ભારત 2047'ના વિઝન તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે. આ કરાર ગુજરાત રાજ્યની નિકાસમાં વિક્રમજનક વધારો કરવામાં મદદરૂપ સાબિત થશે.

આ પ્રસંગે ગુજરાત સરકારના ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપે ભારત માટે ડ્યુટી ફ્રી એક્સેસ ધરાવતા ઉત્પાદનોની વિગતો આપી હતી, જે યુકેની આયાતમાં લગભગ 86 ટકા ફાળો આપે છે. તેમણે જણાવ્યું હતું કે ભારત-યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર આગામી વર્ષોમાં વેપાર સરપ્લસ પ્રાપ્ત કરવામાં મદદરૂપ સાબિત થશે. તેમણે ઉમેર્યું હતું કે, યુકે હંમેશા ભારત માટે પસંદગીનું વેપાર ભાગીદાર રહ્યું છે.

ફોરેન ટ્રેડ ડિરેક્ટોરેટના રાહુલ સિંહે આ કરારને ભારત દ્વારા વાટાઘાટો થકી પ્રાપ્ત કરેલ સૌથી વ્યાપક વેપાર કરાર ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં, યુકે સાથેના ભારતના વેપારમાં નિકાસમાં એકંદરે સકારાત્મક વલણ જોવા મળ્યું છે, જે ભારત માટે વધુ અનુકૂળ વેપાર સંતુલન તરફ આગળ વધવાનો સંકેત પૂરો પાડે છે.

આ પ્રસંગે GCCI ના પ્રમુખ સંદીપ એન્જિનિયરે તે બાબતે ખાસ નોંધ લીધી હતી કે ભારત-યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર એ યુકે સાથે ભારતના જોડાણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે. તેમણે ભારત દ્વારા યુકેમાં થતી 99 ટકા નિકાસ માટે અભૂતપૂર્વ ડ્યુટી-મુક્ત ઍક્સેસ પર ખાસ ભાર મૂક્યો હતો

એન્જિનિયરે ઉમેર્યું હતું કે આ પહેલ વેપાર મૂલ્યના લગભગ 100 ટકાને આવરી લેશે અને તે થકી કાપડ, વિવિધ દરિયાઈ ઉત્પાદનો, લેધર, ફૂટવેર, રમતગમતના સામાન, રમકડાં અને રત્નો અને ઘરેણાં વગેરે વિવિધ ઉદ્યોગો માટે નિકાસની અનેકવિધ નવી તકો ઊભી થશે તેમજ એન્જિનિયરિંગ માલ, ઓટો ઘટકો અને કાર્બનિક રસાયણો જેવા ઝડપથી વિકસતા ક્ષેત્રો માટે પણ નવી તકો ખુલશે.

આ કાર્યક્રમમાં આયોજિત ઓપન ફોરમમાં 'ભારત-યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર'(CETA) વિશે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં INDEXTBના મેનેજિંગ ડિરેક્ટર કે.સી. સંપત તેમજ વ્યાપાર સંગઠનના પ્રતિનિધિઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande