ગીર સોમનાથમાં મધ્યસ્થીકરણ ઝૂંબેશ અન્વયે નાગરિકોને લાભ લેવા અનુરોધ નાલસા તથા એમ.સી.પી.સી દ્વારા 'મિડીયેશન કોર ધ નેશન' અન્વયે ૯૦ દિવસની ખાસ ઝૂંબેશ
ગીર સોમનાથ, 6 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં નાલસા તથા MCPC દ્વારા ''મિડીયેશન કોર ધ નેશન'' અન્વયે તા. ૦૧ જુલાઈ, ૨૦૨૫ થી ૯૦ દિવસની મિડીયેશન ડ્રાઇવ (મધ્યસ્થીકરણ ઝુંબેશ) શરૂ કરવામાં આવી છે. જેમાં સમગ્ર રાજ્યની તાલુકા કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ તથા
ગીર સોમનાથમાં મધ્યસ્થીકરણ ઝૂંબેશ અન્વયે નાગરિકોને લાભ લેવા અનુરોધ નાલસા તથા એમ.સી.પી.સી દ્વારા 'મિડીયેશન કોર ધ નેશન' અન્વયે ૯૦ દિવસની ખાસ ઝૂંબેશ


ગીર સોમનાથ, 6 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં નાલસા તથા MCPC દ્વારા 'મિડીયેશન કોર ધ નેશન' અન્વયે તા. ૦૧ જુલાઈ, ૨૦૨૫ થી ૯૦ દિવસની મિડીયેશન ડ્રાઇવ (મધ્યસ્થીકરણ ઝુંબેશ) શરૂ કરવામાં આવી છે. જેમાં સમગ્ર રાજ્યની તાલુકા કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ તથા હાઇકોર્ટનાં પડતર કેસોમાં મધ્યસ્થીકરણ કરાવી સુખદ સમાધાન લાવવાનાં પ્રયત્નો કરવામાં આવશે.

આ ડ્રાઈવ અંતર્ગત લાગુ પડતાં કેસોમાં વધુમાં વધુ સુખદ સમાધાન થાય તે હેતુથી કોર્ટમાંથી કેસોને મિડીયેશનમાં રિફર કરવાનાં પ્રયત્ન કરવામાં આવશે. જેથી તમામ પક્ષકારોએ તેઓનાં કેસ જો સમાધાન લાયક કેસોમાં આવતાં હોય જેવાં કે લગ્ન જીવનની તકરારોને લગતાં કેસો, અકસ્માત વળતરના કેસો, ઘરેલું હિંસાનાં કેસો, ચેક બાઉન્સના કેસો કોમર્શિયલ વિવાદનાં કેસો, સર્વિસ મેટર, સમાધાન લાયક ફોજદારી કેસો, ગ્રાહક તકરારના કેસો, પાર્ટીશનના દાવાઓ, જમીન સંપાદનના કેસો અને બીજા અન્ય સિવિલ દાવાઓ જેમાં સુખદ રીતે સમાધાન થઈ શકે તે તમામ કેસો મધ્યસ્થીકરણમાં મુકાવા જણાવાયું છે.

સુપ્રીમ કોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ બી.આર.ગવાઈ તથા ન્યાયમૂર્તિ સૂર્યકાંત, કારોબારી અધ્યક્ષ નાલસાના માર્ગદર્શન હેઠળ આ કેસોનો ત્વરિત નિકાલ થાય તે હેતુથી આ અભિયાન યોજવામાં આવ્યું છે. તેથી સમગ્ર જનતાને આ અભિયાનનો લાભ લેવા માટે તેમજ પોતાનો કેસ જે કોર્ટમાં પડતર હોય તે કોર્ટમાંથી મિડીયેશનને રિફર કરવા માટે અરજી કરી તે કેસોનો મધ્યસ્થીકરણથી નિકાલ લાવવાનાં પ્રયત્ન કરવા માટે સંપૂર્ણ સહકાર આપવા માટે જિલ્લા કાનૂની સત્તા સેવા મંડળના સેક્રેટરી જે.એન.પટેલની એક યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande