ઈરાન અનુકૂળ પરિસ્થિતિઓમાં અમેરિકા સાથે, સીધી પરમાણુ વાટાઘાટો કરી શકે છે: ઉપરાષ્ટ્રપતિ અરેફ
-ઈરાન યુરેનિયમ સંવર્ધન છોડવાની માંગને મજાક ગણાવે છે તેહરાન, નવી દિલ્હી,13 ઓગસ્ટ (હિ.સ.) ઈરાનના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદરેઝા આરેફે મંગળવારે કહ્યું કે,” જો પરિસ્થિતિઓ અનુકૂળ હોય, તો ઈરાન અમેરિકા સાથે સીધી પરમાણુ મ
ઈરાન અનુકૂળ પરિસ્થિતિઓમાં અમેરિકા સાથે, સીધી પરમાણુ વાટાઘાટો કરી શકે છે: ઉપરાષ્ટ્રપતિ અરેફ


-ઈરાન યુરેનિયમ

સંવર્ધન છોડવાની માંગને મજાક ગણાવે છે

તેહરાન, નવી દિલ્હી,13 ઓગસ્ટ (હિ.સ.)

ઈરાનના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદરેઝા આરેફે મંગળવારે કહ્યું કે,” જો પરિસ્થિતિઓ

અનુકૂળ હોય, તો ઈરાન અમેરિકા

સાથે સીધી પરમાણુ મુદ્દાઓ પર વાટાઘાટો કરી શકે છે.” રાજ્ય મીડિયાને ટાંકીને આ

માહિતી આપવામાં આવી છે.

અરેફે અમેરિકાની માંગને મજાક ગણાવી જેમાં

તેહરાનને યુરેનિયમ સંવર્ધન સંપૂર્ણપણે છોડી દેવાનું કહેવામાં આવ્યું છે. તેમણે

કહ્યું કે,” આ શરત વાસ્તવિકતાની બહાર છે.” તેમણે કહ્યું કે,” શાંતિપૂર્ણ હેતુઓ

માટે પરમાણુ ટેકનોલોજી વિકસાવવાનો ઈરાનનો અધિકાર આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ

સુરક્ષિત છે અને તેને કોઈપણ કિંમતે છોડી શકાય નહીં.”

તેમણે સ્પષ્ટતા કરી કે,” કોઈપણ સંવાદ શરૂ કરવા માટે, સૌ પ્રથમ સમાનતા

અને પરસ્પર આદરનું વાતાવરણ હોવું જોઈએ. જો વાટાઘાટોના ટેબલ પર આવવાનો અર્થ એ છે કે,

આપણે આપણા કાયદેસર અધિકારો છોડી દેવા પડશે, તો આવી વાટાઘાટો માટે કોઈ વાજબીપણું નથી.”

આ વાત જાણીતી છે કે,” તેહરાન અને વોશિંગ્ટન વચ્ચે છઠ્ઠા

રાઉન્ડની પરોક્ષ પરમાણુ વાટાઘાટો, જૂનમાં અચાનક બંધ થઈ ગઈ હતી. આનું કારણ ઇઝરાયલ

અને અમેરિકા દ્વારા, ઇરાની પરમાણુ સ્થળો પર કરવામાં આવેલા હવાઈ હુમલા હોવાનું

કહેવાય છે.જેના કારણે દેશના

કેટલાક મુખ્ય પરમાણુ સુવિધાઓને નુકસાન થયું હતું. આ હુમલાઓ પછી, બંને પક્ષો વચ્ચે

તણાવ વધુ વધી ગયો હતો.”

અમેરિકા અને તેના પશ્ચિમી સાથી દેશોનો આરોપ છે કે,” ઇરાન

તેના પરમાણુ કાર્યક્રમની આડમાં પરમાણુ શસ્ત્રો વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ઇરાને સતત આ આરોપોને નકારી કાઢ્યા છે અને દાવો કર્યો છે કે, તેનો પરમાણુ કાર્યક્રમ

સંપૂર્ણપણે શાંતિપૂર્ણ હેતુઓ માટે છે, જેમ કે ઉર્જા ઉત્પાદન અને તબીબી સંશોધન.”

હિન્દુસ્થાન સમાચાર / આકાશ કુમાર રાય / પ્રભાત મિશ્રા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande