ગીર સોમનાથ 23 ઓગસ્ટ (હિ.સ.) શ્રાવણ વદ ચૌદશ ના પર્વે સોમનાથ મહાદેવને કૈલાશ દર્શન શૃંગારથી સુશોભિત કરવામાં આવ્યા હતા.
કૈલાશ પર્વત એ ભગવાન શિવનું નિવાસસ્થાન છે. સોમનાથ મહાદેવના આ વિશેષ શૃંગારમાં કૈલાશ પર્વત વચ્ચે બિરાજમાન સોમનાથ મહાદેવ શ્રદ્ધાળુને દર્શન દઈ રહ્યા હોય તેવી પ્રતિકૃતિ રચવામાં આવી હતી.
સોમનાથ મહાદેવના આ વિશેષ શૃંગારના દર્શન કરી ભક્તોના માનસ પટલ પર કૈલાશ દર્શન કર્યાનો ભાવ સર્જાયો હતો. આ અનુભવ શૃંગાર ભક્તોને આધ્યાત્મિક ઉન્નતિ અને શિવના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ