(અપડેટ) બિહારના પૂર્વ ચંપારણમાં પાકિસ્તાની કનેક્શન ધરાવતા, ચાર આંતરરાજ્ય સાયબર છેતરપિંડી કરનારાઓની ધરપકડ
પૂર્વ ચંપારણ, નવી દિલ્હી,26 ઓગસ્ટ (હિ.સ.) સાયબર પોલીસ સ્ટેશને એક મોટી આંતરરાજ્ય સાયબર છેતરપિંડી ગેંગનો પર્દાફાશ કર્યો છે, જેનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. એસપી સ્વર્ણ પ્રભાતની સૂચના પર, પોલીસે પશ્ચિમ ચંપારણ જિલ્લાના
બિહાર


પૂર્વ ચંપારણ, નવી દિલ્હી,26 ઓગસ્ટ (હિ.સ.)

સાયબર પોલીસ સ્ટેશને એક મોટી આંતરરાજ્ય સાયબર છેતરપિંડી ગેંગનો પર્દાફાશ કર્યો છે, જેનું પાકિસ્તાન

કનેક્શન સામે આવ્યું છે.

એસપી સ્વર્ણ પ્રભાતની સૂચના પર, પોલીસે પશ્ચિમ

ચંપારણ જિલ્લાના બૈરિયા પોલીસ સ્ટેશન વિસ્તારના તાધવાનંદપુરમાં દરોડો પાડ્યો અને

ચાર ગુનેગારોની ધરપકડ કરી,

જેમાં અખિલેશ

કુમાર, રોહિત કુમાર

ઉર્ફે શિવ, મનીષ કુમાર અને

આનંદ કુમારનો સમાવેશ થાય છે. પૂછપરછ દરમિયાન, જાણવા મળ્યું કે, ધરપકડ કરાયેલા ગુનેગારોમાં અખિલેશ અને

રોહિતે પાકિસ્તાનથી વોટ્સએપ વીડિયો કોલિંગ પર સાયબર છેતરપિંડીની તાલીમ લીધી છે.

પોલીસે તેમની માહિતીના આધારે આ બદમાશોના વિવિધ ઠેકાણાઓ પર

દરોડા પાડ્યા અને બે લેપટોપ, 12 સેલફોન, 26 સિમ કાર્ડ, 62 ડેબિટ કાર્ડ, છ બેંક પાસબુક, બે આધાર કાર્ડ, બે પાન કાર્ડ અને એક ઈ-શ્રમ કાર્ડ, ઉપરાંત વિવિધ

બેંકોમાંથી ડિજિટલ વ્યવહારોની વિગતો જપ્ત કરી. આ સાથે, ધરપકડ કરાયેલા

બદમાશો રોહિત અને અખિલેશ પાસેથી બે પાકિસ્તાની નંબર પણ મળી આવ્યા છે. જેના દ્વારા

તેઓ પાકિસ્તાનના લોકો સાથે વોટ્સએપ વીડિયો કોલ દ્વારા વાત કરતા હતા. પોલીસે હવે આ

નંબરોની તપાસ શરૂ કરી છે.

એસપીએ જણાવ્યું કે, મોતીહારી શહેરના અગરવા મોહલ્લાની એક

મહિલાએ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે સોશિયલ

મીડિયા પર વિદેશમાં રહેતા મારા એક સંબંધીનું નકલી આઈડી બનાવીને બદમાશોએ એક લાખ વીસ

હજાર રૂપિયાની માંગણી કરી હતી અને કહ્યું હતું કે’, પૈસા મોકલો, તમારા સંબંધીના

જીવને જોખમ છે. જો તમે પૈસા નહીં મોકલો તો તમને પણ મારી નાખવામાં આવશે.’ ત્યારબાદ

ડરી ગયેલી મહિલાએ ઉતાવળમાં બદમાશના ખાતામાં 30 હજાર રૂપિયા મોકલ્યા અને પોલીસને તેની જાણ કરી.

ફરિયાદ મળતાં જ સાયબર થાણા પોલીસના ડીએસપી અભિનવ પરાસરના

નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવી હતી. ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને અને ટેકનિકલ

તપાસ કરીને બેતિયા જિલ્લામાંથી આ ચાર બદમાશોની ધરપકડ કરી છે. અત્યાર સુધીની

તપાસમાં એ વાત સામે આવી છે કે આ બદમાશો વિરુદ્ધ માત્ર બિહારમાં જ નહીં પરંતુ પંજાબ, કેરળ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને જમ્મુ

અને કાશ્મીર સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ કેસ નોંધાયેલા છે.

હિન્દુસ્થાન સમાચાર/ ગોવિંદ ચૌધરી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande