અંબાજી મેળામાં દર્શનાર્થે આવતા માઈ ભક્તો માટે આરોગ્યલક્ષી સેવા પૂરી પાડવા 11 જેટલી 108 એમ્બ્યુલન્સ 45ના સ્ટાફ સાથે સ્ટેન્ડબાય રાખવામાં આવશે
અંબાજી31ઓગસ્ટ (હિ. સ)અંબાજી ખાતે ભાદરવી પૂનમ નો મેળો આવતી કાલ થી શરુ થઇ રહ્યો છે ત્યારે આ મેળા માં 35 લાખ ઉપરાંત દર્શનાર્થીઓ માત્ર સાત દિવસ માં આવવાની સંભાવના છે જયારે આટલી મોટી સંખ્યા માં મેળાવડો ભરાતો હોય ત્યારે આરોગ્ય સુખાકારી મા
AMBAJI MA 108 NI RUT MARCH YOJAI


અંબાજી31ઓગસ્ટ (હિ. સ)અંબાજી ખાતે ભાદરવી પૂનમ નો મેળો આવતી

કાલ થી શરુ થઇ રહ્યો છે ત્યારે આ મેળા માં 35 લાખ ઉપરાંત દર્શનાર્થીઓ માત્ર સાત દિવસ માં આવવાની સંભાવના છે

જયારે આટલી મોટી સંખ્યા માં મેળાવડો ભરાતો હોય ત્યારે આરોગ્ય સુખાકારી માટે

રાજ્યસરકારની જીવંત રક્ષક કહી સકાય તેવી 108 મેડીકલ ઈમરજન્સી ,નિશુલ્ક એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરવામાં આવી છે ને બનાસકાંઠા

જીલ્લાના વહીવટી તંત્ર સાથે મળી માં અંબેના દર્શને આવતા દર્શનાર્થીઓને કોઈ પણ

ઘટના સમય ઈમરજન્સી નિવારવા 108 એમ્બ્યુલન્સ સેવા કટીબધ બની છે ને આ મેળાના પગલે અંબાજી આજુબાજુ ના પહાડી વિસ્તાર માંથી પસાર થતા યાત્રિકોની સેવા માટે 11 જેટલી 108 એમ્બ્યુલન્સ 11 જેટલા રૂટ ઉપર તારીખ 01 સપ્ટેમ્બર થી 07 સપ્ટેમ્બર સુધી અલગ અલગ વિસ્તાર માં

મુકવામાં આવી છે ખાસ કરીને હૃદય રોગ પાણી માં ડૂબી જવાની કે પછી અકસ્માત ને અન્ય

કોઈ પણ આરોગ્યલક્ષી સુવિધા માટે અંબાજી આવેલી 108 એમ્બ્યુલન્સ દ્વારા રૂટ માર્ચ કરવામાં

આવ્યો હતો જેને લઇ યાત્રિકો ને પણ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ વાન માટે ની જાગૃતિ આવે ને જરૂર પડે તેનો

ઉપયોગ લઇ સકાય તેવો આ રૂટ માર્ચ માં સંદેશો વહેતો કરાયો હતો.

અંબાજીમાં વહીવટીતંત્ર અને વિવિધ વિભાગ ના અધિકારીઓ દ્વારા ભાદરવી

મેળાનું આયોજન થતું હોય છે અને તેમાં લાખોની સંખ્યામાં દર્શનાર્થે આવતા માઈ

ભક્તોના આરોગ્ય ને ધ્યાનમાં રાખીને EMRI GHS 108 દ્વારા અંબાજી અને તેની આજુબાજુ માં

વિવિધ જગ્યાએ દૂર દૂર થી આવતા માઈ ભક્તોને આરોગ્ય લક્ષી સુવિધાઓ મળી રહે તે માટેનું

આયોજન કરવામાં આવ્યું છે અને આ મેળા દરમિયાન અલગ અલગ પ્રકારના ઈમરજન્સી કોલ આવતા

હોય છે જેમ કે પ્રસુતિ ની પીડા, ( ટ્રોમા ) પડી જવા કે વાગવાથી, રોડ અકસ્માત (એકસીડન્ટ), શ્વાસની તકલીફ,તાવ, ચક્કર આવવા,

ઝેરી જનાવર કરડવાના( પોઈઝનીગ ), પેટમાં દુખાવા, મારામારી જેવા અનેક પ્રકારની મેડિકલ

ઈમરજન્સીમાં અધતન સાધનો અને જરૂરી દવાઓ સાથે- ૧) અંબાજી શક્તિધ્વાર૨) અંબાજી ગબ્બર૩) અંબાજી ડી કે સર્કલ૪) ત્રિશુલિયા ઘાટ૫) હાડદ૬) દાંતા૭) અડેરણ ચોકડી૮) આંબાઘાંટા૯) જલોત્રા૧૦) વિરમપુર૧૧) પાલનપુર વિવિધ સ્થળોએ 11 જેટલી 108 એમ્બ્યુલન્સ અને તેના 45 જેટલા તાલીમ બધ્ધ EMT અને PILOT કર્મચારીઓ 24/7

નિ:શુલ્ક સેવા દ્વારા તાત્કાલીક

સારવાર આપીને લોકોના જીવ બચાવશેતેમ પ્રોગ્રામ મેનેજર બળદેવભાઈ રબારી તેમજ નિખીલ

પટેલ એ જણાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande