ગીર સોમનાથ 7 ઓગસ્ટ (હિ.સ.) મિતીયાજ ગામમાં આંગણવાડી 5 ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી જેમા મિતીયાજ ગામના યુવા સરપંચ સુરપાલસિહ બારડ લલિત વાળા, આંગણવાડી ના મુખ્ય સેવિકા લાભુબેન મોરી, મિતીયાજ તમામ આંગણવાડી કાર્યકર, બાળકો, બાળકો ના વાલીઓ એ હાજરી આપી હતી જેમાં મુખ્ય સેવિકા તેમજ સરપંચ સુરપાલસિહ બારડ દ્વારા બાળકોની માતાઓ ને સ્તનપાન સપ્તાહ દિવસ ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી તેમજ વક્તવ્ય આપવવામા આવ્યું. તેમજ આંગણવાડી ના બાળકો અને માતાઓને મળતી માતૃશક્તિ, બાલશકિત, પૂર્ણા શક્તિ સરપંચ સુરપાલસિહ બારડ લલિત વાળા એ ખાતરી કરી માહિતી મેળવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ